SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ આ સાંભળી બુદ્ધે પિતાના આનંદ નામના શિષ્ય તરફ વળીને પૂછ્યું: “આનંદ, વજજ લોકો વારંવાર ભેગા થઈને રાજકારણનો વિચાર કરે છે કે ?” આનંદ: હા ભગવન, બુદ્ધઃ એ લોકો ભેગા થઈને ઘેર પાછા ફરે ત્યાં સુધી એમનામાં એકસરખું એક્ય હોય છે કે? આનંદઃ મેં એવું સાંભળ્યું છે ખરું. બુદ્ધઃ એ લેકે પોતાના કાયદાઓને ભંગ તે કરતા નથી ને? અથવા એને ગમે તેવો અર્થ તે કરતા નથી ને? આનંદઃ જી, ના, એ લેકે અત્યંત નિયમપૂર્વક ચાલવાવાળા છે એમ મેં સાંભળ્યું છે. બુદ્ધઃ વૃદ્ધ રાજકારણ પુરુષને વજી લોકો માન આપી એમની સલાહ પૂછે છે કે? આનંદઃ જી, હા; ત્યાં એમનું ઘણું માન જળવાય છે. બુદ્ધ: એ લોક પિતાની વિવાહિત કે અવિવાહિત વીઓ ઉપર જુલમ તે નથી કરતા ને? આનંદ: જી, ના, ત્યાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા ઉચ્ચ છે. બુદ્ધઃ વજજી લોકે શહેરનાં અથવા શહેર બહારનાં દેવસ્થાનેની કાળજી લે છે કે ? આનંદ: હા, ભગવન. બુદ્ધ: આ લેકે સંતપુરુષનો આદરસત્કાર કરે છે કે? આનંદ : જી, હા. આ સાંભળી બુદ્ધે અમાત્યને કહ્યું: “મેં વૈશાલીના લેઓને આ સાત નિયમે આપ્યા હતા. જ્યાં સુધી એ બુ.-૩
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy