________________
૨૮
બુદ્ધ
૬. બુદ્ધ વર્ણના અભિમાનને માનતા નહીં. સર્વ વર્ણને મેક્ષનો અધિકાર છે. વર્ણનું શ્રેષ્ઠત્વ ઠરાવવાનું કોઈ સ્વતઃ સિદ્ધ
પ્રમાણ નથી. જે ક્ષત્રિયાદિક વણે પાપ સર્વ વર્ણન કરે તો તે નરકમાં જાય, અને બ્રાહ્મણદિક સમાનતા પાપ કરે તો તે ન જાય? જો બ્રાહ્મણ પુણ્ય
કર્મ કરે તે તે સ્વર્ગમાં જાય, અને ક્ષત્રિયાદિક કરે તો તે ન જાય? બ્રાહ્મણ રાગદ્વેષાદિકથી રહિત થઈ મિત્રભાવના કરી શકે, અને ક્ષત્રિયાદિક ન કરી શકે? એ સર્વે વિષયમાં ચારે વર્ણને સરખે અધિકાર છે એ સ્પષ્ટ છે.૧
વળી એક બ્રાહ્મણ નિરક્ષર હોય અને જે વિદ્વાન હેય, તો યજ્ઞાદિકમાં તેને પ્રથમ આમંત્રણ કરવામાં આવશે ? તમે કહેશે કે વિદ્વાનને, ત્યારે વિદ્વત્તા એ પૂજનીય થઈ જાતિ નહીં.
પણ જે તે વિદ્વાન બ્રાહ્મણ શીલરહિત, દુરાચારી હોય અને નિરક્ષર બ્રાહ્મણ અત્યંત શીલવાન હોય તે કેને પૂજ્ય ગણશે? ઉત્તર સ્પષ્ટ છે કે શીલવાનને.
પણ આ રીતે જાતિ કરતાં વિદ્વત્તા શ્રેષ્ઠ કરી અને વિદ્વત્તા કરતાં શીલ એક ઠર્યું. અને ઉત્તમ શીલ તે સર્વે વર્ણોના મનુષ્ય પ્રાપ્ત કરી શકે. માટે જેનું શીલ ઉત્તમ તે જ સર્વે વર્ણોમાં શ્રેષ્ઠ એમ સિદ્ધ થાય છે.
૧. સરખા : અહિંસા, સત્ય, અસ્તેય, નિષ્કામ-ક્રોધ-લેભતા, સર્વભૂતહિતેચ્છા –એ ધર્મ છે સહુ વર્ણને.
(સંસ્કૃત સાહિત્ય પરથી)
''18 :