SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ બુદ્ધ અનિવાર્ય છે, એ પિતાની ઈચ્છાને આધીન નથી, એ સહન કર્યો જ છૂટકે છે. આ પહેલું આર્યસત્ય. (૨) એ સિવાયનાં બીજાં બધાં દુઃખે માણસે પિતે જ ઉપજાવી કાઢેલાં છે. સંસારના સુખેની તૃષ્ણા સ્વર્ગનાં સુખની તૃણા અને આત્મનાશની તૃષ્ણ – એ ત્રણ પ્રકારની તૃષ્ણા પહેલાં દુઃખને પાછાં ઉપજાવવાનું તથા બીજાં બધાં દુઃખનું કારણ છે. એ તૃષ્ણાથી પ્રેરાઈને મનુષ્ય પાપાચરણ કરે છે અને પિતાને તથા જગતને દુઃખી કરે છે. તૃષ્ણ એ દુઃખેનું કારણ છે એ બીજું આર્યસત્ય. (૩) એ તૃષ્ણાને નિરોધ થઈ શકે છે. એ ત્રણ તૃષ્ણએને નિર્મૂળ કરવાથી જ મોક્ષપ્રાપિત થાય છે. આ ત્રીજું આર્યસત્ય. (૪) તૃષ્ણાઓને નિરોધ કરી દુઃખનો નાશ કરવા માટેના સાધનનાં નીચે મુજબ આઠ અંગ છે : ૧. સમ્યક જ્ઞાન– એટલે ચાર આર્યસત્યને સારી પિઠે વિચાર કરી જાણવાં તે. ૨. સમ્યક સંકલ્પ– એટલે શુભ કર્મો કરવાને જ નિશ્ચય. ૩. સમ્યક્ વાચા–એટલે સત્ય, પ્રિય અને હિતકર વાણી. ૪. સમ્યક્ કર્મ એટલે સત્કર્મોમાં જ પ્રવૃત્તિ. ૫. સમ્યક આજીવ – એટલે પ્રામાણિકપણે જ આજીવિકા પ્રાપ્ત કરવા માટે ઉદ્યમ. ૧. સમ્યફ એટલે યથાર્થ અથવા શુભ.
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy