SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર જ્ઞાનથી શાન્તિને પામ્યા ન હતા. મહાવીરે એમના સંશ છેદી એમને સાધુની દીક્ષા આપી હતી. ઉત્તરકાળ મહાવીરે જૈન ધર્મમાં નવું ચેતન રેડી એની પુનઃ પ્રતિષ્ઠા કરી. એમના ઉપદેશને પરિણામે શિષ્યશાખા પ્રજા વળી પાછી જૈન ધર્મ પ્રત્યે આકર્ષાઈ વૈરાગ્ય અને અહિંસાને નવો જુવાળ દેશ ઉપર ફરી આવ્યો. અનેક રાજાઓ, ગૃહસ્થ અને સ્ત્રીઓએ સંસારનો ત્યાગ કરી સંન્યાસધર્મ ગ્રહણ કર્યો. એના ઉપદેશને પરિણામે જૈન ધર્મમાંથી માંસાહાર સદંતર બંધ થયે એટલું જ નહીં, પણ એ ધર્મને પરિણામે વૈદિક ધર્મમાં પણ અહિંસા પરમ ધર્મ મના અને શાકાહારને સિદ્ધાન્ત વેદધર્મી વૈષ્ણવોમાંયે ઘણે ભાગે સ્વીકારાયો. ૨. સંસારનો ત્યાગ કરવામાં એમને જમાઈ જમાલિ અને પુત્રી પ્રિયદર્શન પણ હતાં. આગળ જમાલિને જતાં મહાવીર અને જમાલિ વચ્ચે મતભેદ મતભેદ પડવાથી જમાલિએ જુદે પંથ સ્થાપે. કૌશામ્બીના ઉદયન રાજાની મા મૃગાવતી મહાવીરની પરમ ભક્ત હતી, અને પાછળથી જૈન સાધી થઈ હતી એમ કહેવાય છે. બુદ્ધના ચરિત્રમાં ઉદયનની પટ્ટરાણેએ બુદ્ધનું અપમાન કરવા પ્રયત્ન કર્યો હતે એમ કહ્યું છે. એ ઉપરથી જૈન અને બૌદ્ધો વચ્ચે મતપંથની ઈર્ષાના ઝઘડા ચાલતા હોય એમ સંભવે છે.
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy