SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ એમ બની શકે છે, અને તેથી વિષયનું સર્વ બાજુથી પરીક્ષણ કરવું અને દરેક બાજુથી એની મર્યાદા શેાધવી એ સુજ્ઞ માણસનું કામ છે. કોઈ એક જ દષ્ટિથી ખેંચાઈ જઈ તે જ એક સાચી દૃષ્ટિ છે એ આગ્રહ બાંધવો એમાં સમતોલપણાની ખામી છે. બીજા પક્ષની દષ્ટિને સમજ પ્રયત્ન કરો, અને એ પક્ષની દષ્ટિનું ખંડન કરવાનો મમત રાખવાને બદલે કઈ દષ્ટિએ એનું કહેવું સાચું હોઈ શકે તે શોધવા પ્રયત્ન કર, - એ ટૂંકામાં સ્યાદ્વાદ છે એમ હું સમજું છું. ચાર્ એટલે એમ પણ હોઈ શકે. એ વિચારને અનુમોદન આપનારા મત તે સ્યાદ્વાદ. સત્યશોધકમાં એવી વૃત્તિ હેવી આવશ્યક છે. ૧૦. સ્યાદ્વાદનો અર્થ એ નથી કે માણસે કોઈ પણ વિષય ઉપર કાંઈ પણ નિશ્ચય ઉપર જ આવવું નહીં. પણ મર્યાદિત સિદ્ધાન્તને અમર્યાદિત સમજવાની ભૂલ ન કરવી અને તેથી મર્યાદા નકકી કરવા પ્રયત્ન કરે એ સ્યાદ્વાદ.૧ ૧૧. મહાવીરના ઉપદેશનો અત્યંત ફેલાવો કરનાર અને એમની અતિશય ભક્તિભાવથી સેવા અગિયાર કરનાર એમના પહેલા અગિયાર શિષ્યો હતા. તમે એ સર્વે ગૌતમ ગોત્રના બ્રાહ્મણ હતા. અગિયારે ભાઈએ વિદ્વાન અને મોટા મોટા કુલેના અધિપતિઓ હતા, સર્વે તપસ્વી, નિરહંકારી અને મુમુક્ષુ હતા. વેદવિહિત કર્મકાંડમાં પ્રવીણ હતા. પણ યથાર્થ ૧. આ વાદના વિશેષ શાસ્ત્રીય વિવેચન માટે જુઓ શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતાને “દર્શનના અભ્યાસમાં જાળવવા ગ્ય મધ્યસ્થતા” ઉપરનો લેખ (‘પ્રસ્થાન', પૃ. ૬, પૃ. ૩૩૧થી ૩૩૮).
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy