SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ સંસ્કૃતિની પરંપરા આગળ વધ્યો છે. વિકાસ પામ્યો છે. તેણે પ્રચારના કેરા આડંબર પર કદી વિશ્વાસ રાખે નથી. પિતાના મંતવ્યોના પ્રચારને નિમિત્તે તેણે કુટિલતા તથા સંઘર્ષવૃત્તિને કદી આશ્રય લીધે નથી કે તેને પ્રોત્સાહન આપ્યું નથી. જૈનધર્મ આત્મવિજેતાઓને ધર્મ છે. તેને પ્રભાવ આત્મવિશ્વાસી લેકે ઉપર જ પડે છે. નિરંતર યુગયુગથી જૈનધર્મ પર શ્રદ્ધા રાખનારાઓની સંખ્યા વધતી ઘટતી રહી છે. પરંતુ જનધર્મની સરિતા કદી સુકાઈ ગઈ નથી, તે હંમેશાં માનવજાતિને શાંતિનો સંદેશ આપતી રહી છે. જનતા પર અને રાજાઓ પર જેનધર્મની બહુ જ માટી અસર રહી છે. ભારતના મોટા મોટા સમ્રાટ જૈનધર્મના વજની છાયામાં આત્મનિરીક્ષણને પાઠ પઢતા રહ્યા છે. સ્વયં ભગવાન મહાવીરના વખતમાં પણ જેનધર્મ મગધનો રાજ્યધર્મ હતે. તાત્કાલિક ભારતનાં ૧૬ મુખ્ય રાજ્યોમાં જૈનધર્મ બહુ જ તેજસ્વી રહ્યો હતો. ભગવાન મહાવીરના મામાની પાંચ પુત્રીઓએ પણ પાંચ રાજાઓને જૈનધર્મની દીક્ષા આપી હતી. જો કે મહારાજા ચેટકને સાત પુત્રીઓ હતી. પરંતુ તેમાંથી બે તે બ્રહ્મચારિણું જ રહી હતી. ક્રમશઃ આ પાંચમાંથી પ્રભાવતીએ સિન્ધ–સૌવીરના સમ્રાટ ઉદયનને, શિવાએ અવન્તીપતિ ચંડ પ્રદ્યોતને, ચેલણાએ મગધના અધિપતિ શ્રેણિકને, મૃગાવતીએ વન્સપતિ શતાનીકને અને પદ્માવતીએ અંગદેશના અધિપતિ દધિવાહનને જૈનધર્મ તરફ વાળ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy