________________
૭૬
ધર્મ અને સંસ્કૃતિ છે કે જેને જેટે જડતો નથી. બંને ભાઈ વાઘેલા વંશના રાજા વિરધવલના મંત્રીઓ હતા. રાજનીતિના પંડિત અને જનધર્મના અનન્ય ભક્ત હોવા છતાંયે બીજા બધા ધર્મો પ્રત્યે પણ તેઓ ઉદાર હતા. તેઓની ઉદારતા, વિસ્મયજનક દાન, વીરતા અને ધર્મનિષ્ઠાને વિસ્તારભયથી અહીં ઉલ્લેખ કરી શકાય તેમ નથી.
મેવાડના મહારાણા પ્રતાપસિંહના પ્રધાનમંત્રી ભામાશાહ જૈનથી કેણ પરિચિત નથી ?
જયપુર રાજ્યનું મંત્રીપદ લાંબા વખત સુધી જેનેએ જ સુશોભિત કર્યું હતું. અજમેરના રાજા વિજયસિંહના સેનાપતિ ધનરાજ સિંઘવી જૈન હતા. ગુજરાતના સોલંકી રાજા ભીમદેવના સેનાપતિ આભ જૈન વીર હતા.
- રાજસ્થાનનાં અનેક રાજ્યોની સ્થાપનામાં જૈનવીરોને ઉલ્લેખનીય હાથ રહ્યો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પોતાની પ્રમાણિકતા અને રાજનૈતિક કુશળતાને કારણે જેને એ રાજનીતિના ક્ષેત્રમાં પણ ઘણું જ કિંમતી કાર્ય કર્યું છે અને સાથે વીરસંઘને પ્રભાવશાળી બનાવવામાં બહુ જ મહત્વનો ફાળો આપ્યો છે. જેનસંઘના પ્રસાર
જૈનધર્મ ભારતનો ઐતિહાસિક ધર્મ છે. ભગવાન ઋષભદેવથી માંડીને આજ સુધી તેની અક્ષુણ પરંપરા ચાલી આવી છે. જૈનધર્મ આત્મધર્મ છે. તે હંમેશાં આત્મદમન, ઈન્દ્રિયસંયમ, વૈચારિક સમન્વયને આધારભૂત માનીને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org