________________
૭૨
ધર્મ અને સંસ્કૃતિ
એક મહાસંમેલન થયું. જૈન સ ંઘે તેમને મહાવિજયી ખેમરાજા તથા ભિક્ષુરાજા અને ધર્મરાજાની પદવી પણુ પ્રદાન કરી. જૈનધર્મ પ્રત્યેની કરવામાં આવેલી ખારવેલની સેવાએ મહુમૂલ્ય છે. તે અત્યંત પ્રતાપી રાજા થયા છે. કલચૂરી અને લભ્રવંશી રાજા :
કલસૂરી રાજવંશ મધ્યપ્રાંતના સૌથી મેાટા રાજવ‘શ હતા. આઠમી-નવમી શતાબ્દીમાં તેના પ્રબળ પ્રતાપ ચમકી રહ્યો હતા. આ વંશના રાજાએ જૈનધર્મના કટ્ટર અનુયાયી હતા. ત્રિપુરી એમની રાજધાની હતી. પ્રેા. સ્વામી આયંગરનું કથન છે કે એમના વંશજો આજ પણ જૈન કલાકારના નામથી નાગપુરની આસપાસના પ્રદેશમાં મેાજૂદ છે.
હાયસેલ વશી રાજા :
હાયસેલ વશના અનેક રાજા-મહારાજા, અમાત્ય તથા સેનાપતિએ જૈનધર્મના અનુયાયી હતા. સુદત્તમુનિ આ વંશના રાજગુરુ હતા. પહેલાં તે ચાલુકયોના માંડલિક હતા પણ ૧૧૧૬માં તેઓએ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી.
ગગવશી રાજા :
ઈશુખ્રિસ્તના બીજા સૈકામાં ગગ રાજાઓએ દક્ષિણ પ્રદેશમાં પેાતાનું રાજ્ય સ્થાપ્યું હતું. ૧૧મા સૈકા સુધી તે વિસ્તૃત ભૂખંડ પર શાસન કરતા રહ્યા. આ બધા રાજા પરમ જૈન હતા. આ વંશના પ્રથમ રાજા માધવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org