________________
શ્રમણ સંસ્કૃતિની પરંપરા પર્વના દિવસોમાં જીવહિંસા બંધ રાખવી વગેરેના આદેશ જૈનધર્મને મળતા આવે છે. સમ્રાટ સંપ્રતિઃ
સમ્પતિ અશોકના પુત્ર હતા. તે એકવાર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી ખુશખુશાલ થતા માતાની પાસે પહોંચ્યા. જઈને વંદન કર્યું. તેમણે જોયું કે માતાના મુખ ઉપર પ્રસન્નતાને બદલે આંખમાં આંસુ છે. કારણ પૂછતાં માતાએ જણાવ્યું– નરસંહાર કરીને પ્રાપ્ત કરવામાં આવેલો વિજય, સાચે વિજય નથી. સાચે વિજય-સાચી શાંતિ અહિંસા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. વગેરે ઉપદેશ સાંભળીને સમ્મતિએ પ્રખ્યાત જૈન મુનિ આર્ય સુહસ્તી પાસેથી જેનધર્મ અંગીકાર કર્યો. સમ્રાટ સમ્મતિએ અનાર્ય દેશમાં જેનઈના પ્રચારના ઉદ્દેશથી જૈનધર્મના આરાધકે માટે ધર્મસ્થાનોની વ્યવસ્થા કરાવી હતી. અનાર્ય પ્રજાના ઉથાનને માટે સમ્મતિએ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. તેણે ધર્મપ્રચારકોને મેકલીને જૈનધર્મની શિક્ષાઓને ફેલાવો કર્યો હતો. અનેક વિદ્વાનને એ અભિપ્રાય છે કે આજે જે શિલાલેખ અશોકના નામથી પ્રસિદ્ધ છે તે કદાચ સસ્પતિના લખાવરાવેલા હોય એવો સંભવ છે. કલિગ ચક્રવતી ખારવેલ
- ઈસવી સનની પૂર્વે બીજી શતાબ્દીમાં રાજા ખારવેલ થઈ ગયા. એ યુગની રાજનીતિમાં ખારવેલ સૌથી મહત્વની વ્યક્તિ હતા. એમના સમયમાં જૈનધર્મને ખૂબ જ ઉત્કર્ષ થયે. તેમના પ્રયાસથી જૈન સાધુઓ તથા જૈન વિદ્વાનોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org