________________
ધર્મ અને સંસ્કૃતિ કર્યો હતે. સમ્રાટ ચંદ્રગુપ્ત તેમની સાથે દક્ષિણયાત્રામાં ગયા, ભિક્ષુ બન્યા અને અંતમાં જેનવિધિ અનુસાર સમાધિકરણ કરીને કૃતકૃત્ય થઈ ગયા એ બધું તેમના જ ઉપદેશનું ફળ હતું.
આચાર્ય ભદ્રબાહુના દક્ષિણ-પ્રવાસનાં પરિણામ ઘણાં જ દૂરગામી, સ્થાયી પ્રભાવ પાડનારાં અને અનોખાં સિદ્ધ થયાં. આ પ્રવાસના પરિણામે મગધને જૈન સંઘ બે ભાગોમાં વહેંચાઈ ગયે. તેનું દુષ્પરિણામ દિગમ્બર વેતામ્બરના સંપ્રદાચના ભેદરૂપે પ્રગટ થયું, પરંતુ બીજુ મહત્વનું સુફળ એ આવ્યું કે તેમણે દક્ષિણના (કલબ્ર, હાયસેલ, ગંગ આદિ) રાજવંશ પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જૈન ધર્મ અને અહિંસાનો જે પ્રભાવ અંકિત કર્યો, તે આર્યો અને દ્રવિડોની એકતાનું કારણ બન્યું. મહાન શ્રતધર આચાર્ય ભદ્રબાહુ પૂર્વ અને ઉત્તરના મધુર સંમેલનની પ્રથમ કડી હતા.
આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીના શિષ્ય ગુણસુંદરે સમ્રાટ સમ્પતિની સહાયતાથી ભારતના જુદા જુદા પ્રાંતો ઉપરાંત અફઘાનિસ્તાન, ચૂનાન અને ઈરાન વગેરે એશિયાના સમસ્ત રાષ્ટ્રોમાં જૈન ધર્મને વ્યાપક પ્રચાર કર્યો.
સૂત્રયુગના પ્રતિષ્ઠા પક ઉમાસ્વાતિ, ભારતના મહાન દાર્શનિક સિદ્ધસેન દિવાકરે જેન તકશાસ્ત્રનું વ્યવસ્થિત રૂપ પ્રદાન કર્યું અને આચાર્ય કુન્દકુન્દ આધ્યાત્મિક ગ્રંથની રચના કરીને તથા સ્વામી સમન્તભ તર્કશાસ્ત્રની પ્રતિષ્ઠા કરીને જેન સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org