________________
૬૨
ધર્મ અને સંસ્કૃતિ તપસ્યા કરવાની જરૂર નથી. આ ભાવના વધતાં વધતાં મનુષ્યમાં પણ આ પ્રકારની ધારણું ઉત્પન્ન થયા વગર નથી રહેતી. શાસકવર્ગ એમ સમજે છે કે પૃથ્વી તેની બાપીકી મિલકત છે અને શાસિતેને જીવિત રહેવાનો અધિકાર નથી. જે તે જીવતા રહેતા હોય તે કેવળ અમારાં સુખસગવડને માટે જ. અન્ય કેઈ કારણે મનુષ્ય મનુષ્યની સાથે ભષણ તથા રૂંવાડાં ખડી દેનારા અત્યાચારો કર્યા છે. અને તે અત્યાચારને આજે પણ અંત આવી શક નથી. દુવૃત્તિનો ઉદ્દગમ ક્યાંથી ?
પ્રશ્ન એ છે કે છેવટ મનુષ્યમાં આ વૃત્તિને ઉગમ થયે કયાંથી ? વિચાર કરવાથી જાણવા મળે છે કે આ દુવૃત્તિનું બીજ મનુષ્યતર પ્રાણીઓના અધિકારના અસ્વીકારમાં છુપાયેલું છે. જ્યાં સુધી મનુષ્ય મનુષ્યતર પ્રાણીઓ પ્રત્યે ન્યાયથી નહીં વર્તો, ત્યાં સુધી તે મનુષ્ય સાથે પણ ન્યાયથી વતી શકવાને નથી.
અહિંસાને ઉપાસક આ જાતની અનૈતિક તથા અધાર્મિક વૃત્તિને ન તે પિતાના હદયમાં સ્થાન આપી શકે છે કે ન તે તેનું સમર્થન કરી શકે છે.
લકે કહે છે-સિંહ, વાઘ, અને સર્પ જેવાં હિંસક પ્રાણીઓને વધ કરે અનુચિત નથી. કારણ કે એનાથી આપણને ઘણું જોખમ છે પણ એ પ્રાણીઓ પણ તેમ કહી શકે છે, તેઓને પણ મનુષ્ય તરફથી જોખમ છે. હિંસક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org