________________
ધર્મ અને સંસ્કૃતિનો મૂળ આધારઃ અહિંસા બ્રાન્ત ધારણાઓનું નિરાકરણ
અહિંસાના સંબંધમાં અનેક પ્રકારની બ્રાન્ત ધારણુઓ સાંભળવા મળે છે. કેટલાક લેકે એમ સમજે છે કે આ પૃથ્વી ફક્ત અમારે માટે જ છે. અમારું જ એના ઉપર એકાધિપત્ય છે. બીજા પ્રાણીઓને તેના ઉપર રહેવાને કે જીવનનિર્વાહ કરવાનો અધિકાર નથી. આ જાતની વિચારધારાથી પ્રેરાઈને તેઓ વન્ય પશુઓને કૂતરાઓનો, વાંદરાઓને, હરણનો અને બીજા જીવનો વધ કરે છે. અથવા કરનારા વધને અનુમોદન આપે છે. થયેલા વધનું સમર્થન કરે છે. પરંતુ નિષ્પક્ષ વિચાર કરવાથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે આ વિચારધારા “જીસકી લાઠી ઉસકી ભેંસ” એટલે કે બળિયાના બે ભાગવાળી આ જૂની કહેવતને ચરિતાર્થ કરે છે. આ સ્વાર્થી વિચાર જગલીપણાની નિશાની છે. તેમાં ન્યાય અથવા ઔચિત્ય માટે જરાપણું અવકાશ નથી. તેણે ધરતીને પટ્ટો મનુષ્ય માટે લખી દીધે છે? ખરું જોતાં જે કોઈ જીવધારી આ ધરતી પર જન્મે છે, અવતાર પામ્યું છે, તેને એ ધરતી પર રહેવાનો અને તેમાંથી પેષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. મનુષ્યમાં બીજા જી કરતાં વિશેષ સામર્થ્ય છે, કેવળ એટલા જ કારણસર તે બીજાઓના જન્મજાત અધિકારોને છીનવી શકે નહિ. આમ છતાં જે તે છીનવે છે તે પ્રકૃતિ તેને યંગ્ય દંડ આપ્યા સિવાય રહી શકતી નથી.
આ જાતની સાંકડી અને સ્વાર્થ મય ભાવનાને દંડ મનુષ્યજાતિને કેવી રીતે ભેગવવું પડે છે એ જાણવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org