SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સંસ્કૃતિ એ વચન પ્રસિદ્ધ છે કે સંયમી પુરુષ જે યતના રાખીને, સાવધાન અને સતર્ક રહીને કોઈપણ જીવના પ્રાણેને ઘાત ન કરવાની બુદ્ધિથી ચાર હાથ ભૂમિ જોઈ જોઈને ચાલે છે, આમ છતાં અચાનક કોઈ જીવ ઊડીને અથવા બીજી કઈ રીતે તેના પગમાં આવી પડે છે ને તેના પગ તળે હૂદાઈ જાય છે તે તે સંયમી પુરુષ હિંસાના પાપથી લિપ્ત નથી થતો. અભિપ્રાય એ છે કે પ્રમાદ અને કષાયથી કરેલ પ્રાણવધ હિંસા છે. આ હિંસાથી બચવાના ઉપાય પ્રમાદ અને કષાયને ત્યાગ કરે એ છે. આ વિવેચનથી પૂર્વોક્ત પ્રશ્નનું સમાધાન થઈ જશે કે સાધક જેટજેટલા અંશોમાં પ્રમાદ-કષાયથી નિવૃત્ત થઈ જાય છે તેટલા જ તેટલા અંશેમાં હિંસાથી બચે છે. સ્થૂલ હિંસા, એટલે કે દ્રવ્ય હિંસા ન કરવા છતાં પણ જેના અંતઃકરણમાં હિંસક ભાવના પ્રચુર છે, તે પ્રચુર હિંસાને ભાગીદાર બને છે. આ સંબંધમાં તંદુલ-મસ્યનું ઉદાહરણું પ્રસિદ્ધ છે. તો અહિંસાનું પાલન કરવા માટે આવશ્યક છે કે સાધક પિતાના અંતઃકરણને સ્વચ્છ, પવિત્ર અને અકલુષ બનાવે. અંતઃકરણમાં ક્રોધ, માન, કપટ, આસક્તિ, રાગ, દ્રષ, ઈર્ષ્યા વગેરે કાલિમાને પ્રવેશવા ન દે. આટલું કર્યા પછી તે પોતાને ધર્મોપેત જીવનવ્યવહાર ચલાવતો હતો પણ અહિંસાની સાધના કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy