________________
ધ અને સસ્કૃતિના મૂળ આધાર : અહિંસા आत्मपरिणाम हिंसनहेतुत्वात्सर्वमेव हिंसैतत् । अनृतवचनादिकेवल मुदाहृतं शिष्यबोधाय ॥
અસત્ય ભાષણ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ આ બધાં પાપાના આચરણથી આત્માના પરિણામેાની હિંસા થાય છે. તથાપિ ફૂટ રૂપે સમજાવવા માટે તથા જિજ્ઞાસુ જન કોઈ ભ્રમમાં ન પડી જાય એ દૃષ્ટિએ અસત્ય ભાષણ-આદિની પૃથક્ ગણના કરવામાં આવી છે.
૫
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે અહિંસા જ સમ્યક્ ચરિત્ર અને પાપાચારને માપવાન દંડ છે. સમસ્ત કત ચૈામાં અહિંસા એ જ મૂર્ધન્ય ક`ભ્ય છે તેટલા માટે આગમામાં તેની ખરીકમાં ખારીક વ્યાખ્યા મળી આવે તે સ્વાભાવિક જ છે. દરેક વ્યક્તિમાં એટલી ચૈાગ્યતા નથી હોતી કે તે અહિંસાના વિષયને લગતા સમગ્ર શ્રુતનું અધ્યયન અને મનન કરી શકે. તેવા જિજ્ઞાસુએ માટે આચાર્ય અમૃતચંદ્ર અહિંસા વિષય સબંધી મન્થનનુ નવનીત તૈયાર કરતાં કહે છે કે—જૈનાગમમાં પ્રતિપાદિત હિંસા-અહિંસાને ટ્રૂ'કેા સાર એટલેા જ છે કે રાગાદિ કલુષિત ભાવાના પ્રાદુર્ભાવ ન હેાવા તેનું નામ જ અહિંસા અને કલુષિત ભાવેની ઉત્પત્તિ થવી તેનુ' નામ જ હિંસા છે. હિંસા અને અહિંસાનું વિશ્લેષણ
વાચક ઉમાસ્વાતિએ પણ તત્ત્વાર્થસૂત્રમાં એ જ કહ્યું છે કે—
‘ ત્રમત્તયોનાત્ પ્રાચરોવળ હિંસા ।’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org