SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ ધર્મ અને સંસ્કૃતિ મુક્તિ મેળવી લે તે આપણે કુટુંબના એ નાના સભ્ય પ્રત્યે પણ દયાળુ બનવું પડશે. જ્યાં સુધી આપણે મનુષ્યતર પ્રાણીઓ પ્રત્યે પણ દયાશીલ વર્તાવ નહિ રાખીએ, તેમના પ્રત્યે કરુણા નહિ રાખીએ અને જ્યાં સુધી હુદયમાં ક્રૂરતા, કઠોરતા અને હિંસા ભાવના અસ્તિત્વ ધરાવતી રહેશે ત્યાં સુધી જગતમાં સાચી શાંતિ વ્યાપશે નહિ અને મનુષ્ય મનુષ્ય પ્રત્યે પણ એ જ હિંસાને પ્રવેગ કરતાં ચૂકશે. નહિ. એટલા માટે મનુષ્યતર પ્રાણી, પ્રાણી હોવાને સંબંધે પણ કરુણાને પાત્ર છે. અને એટલા માટે પણ આ પ્રકારની કરુણના અભાવે, માણસ માણસ પ્રત્યે પૂરી રીતે કરુણાશીલ નહિ બની શકે. જેની એક પાંખ કાપી નાખવામાં આવી હોય એવા પંખી પાસેથી આકાશમાં ઊડવાની આશા નહિ રાખી શકાય. એક પગના જોરે માણસ દુરુહ એટલે કે મુશ્કેલ પથ પર ચાલીને દૂરની મંઝિલ સુધી નહિ પહોંચી શકે. એ જ પ્રમાણે એકાંગી અહિંસા પણ પિતાના ઉદેશને પૂરે નહિ કરી શકે, માનવના મનમાંથી હિંસાના સંસ્કારોનું મૂળમાંથી ઉછેદન તે નહિ કરી શકે. અહિંસા એક જીવન વ્યવહાર્ય સિદ્ધાંત છે. તે વાણું– વિલાસ નથી, તો પણ એવી આશા રાખી નહિ શકાય કે દરેક મનુષ્ય દરેક સ્થિતિમાં તેનું સંપૂર્ણપણે પાલન કરી શકશે. મનુષ્ય અહિંસાના માર્ગે ચાલવું જોઈએ અને જેમ બને તેમ અગ્રેસર થતા જવું જોઈએ. પરંતુ આપણું ચાલવાની પણ એક મર્યાદા છે, તેથી કરીને અહિંસાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy