________________
ધર્મ અને સંસ્કૃતિને મૂળ આધાર : અહિંસા પપ
આ યુગમાં વિજ્ઞાનના રાક્ષસે જે ભયાનક હિંસાનાં સાધને તૈયાર કર્યા છે તેને જોઈને વિશ્વના વિચારશીલ નેતાએ ચિંતાતુર બની ગયા છે. અહિંસાત્મક ઉપાયો વડે તેના પ્રતિકારનો વિચાર અને પ્રચાર કરી રહ્યા છે. અહિંસા સિવાય વિશ્વશાંતિને બીજો કોઈ ઉપાય હોઈ શકે જ નહિ. અહિંસા અને પશુજગત
આ બધું હોવા છતાં એટલું બેધડક કહી શકાય તેમ નથી કે શાસનના ક્ષેત્રમાં અહિંસાનું વ્યાપક રૂપ સમજાઈ ગયું છે. એમ લાગે છે કે આપણું દેશના રાજકર્તાઓ અહિંસાના પ્રયોગને માનવ જાતિ સુધી જ મર્યાદિત રાખવા માગે છે. પરંતુ આ જગતનું મનુષ્ય જાતિથી જ પૂર્ણવિરામ આવી જતું નથી માનવ સિવાયના બીજા જીવેની પણ એક બહુ જ મોટી દુનિયા છે. આ જીવને આપણી પેઠે વાચા મળેલી નથી અને તેઓ પોતાનાં વિરાટ સંગઠ્ઠને કે યુનિયને રચી શક્તા નથી. તેમજ મોટી મોટી ઘોષણાએ –પિકા પાડીને ખળભળાટ મચાવી શકતા નથી. એ દીન પ્રાણીઓ જેઓ આપણા કુટુંબના અવિકસિત અને અધ સભ્ય છે તેમના પ્રત્યે આપણું શું કર્તવ્ય છે? જ્યાં સુધી આપણી કરુણાની વિમલ ધારા તેમના સુધી પહોંચતી નથી ત્યાં સુધી અહિંસા લંગડી જ રહેશે અને તેમાં પૂરી ક્ષમતા નહીં આવી શકે. જે આપણે એમ ઈચ્છતા હોઈએ કે એક દેશ બીજા દેશ પ્રત્યે, એક વર્ગ બીજા વર્ગ પ્રત્યે, અને એક જાતિ બીજી જાતિ પ્રત્યે, અહિંસક વ્યવહાર કરે અને મનુષ્યનું અંતઃકરણ હિંસાના દાનવી સંસ્કારમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org