________________
૫૪
ધર્મ અને સંસ્કૃતિ ચરણોમાં નમાવ્યાં. તેમના સમયમાં વૈચારિક સંઘર્ષે ઉગ્ર અને ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું. તત્ત્વજ્ઞાની પંડિતો અને વિદ્વાને મતવાલા બનીને પરસ્પર એકબીજાને નીચું જોવરાવવામાં જ પિતાનું ગૌરવ માનતા હતા અને તેમ કરવામાં સત્યની હત્યા કરવામાં પણ કશે સંકોચ રાખતા ન હતા. ત્યારે ત્રિશલાનંદન મહાવીર ભગવાને અનેકાંતના રૂપમાં વૈચારિક અહિંસાને મધુર શંખનાદ ગજાવ્યું અને જગતને એક સન્માર્ગ દેખાડયો.
ભારતનું રાજ્યશાસન વિદેશીઓએ ઝૂંટવી લીધું અને દેશ ગુલામ બની ગયો તે ગાંધીજીને અહિંસાનો જૂને વારસે યાદ આવ્યો. તેમણે ગુલામીની દીનતાજનક વ્યાધિને દૂર કરવા માટે અહિંસાની રામબાણ દવાને પ્રયોગ કર્યો. તેમને એક નવે સામુદાયિક પ્રયોગ જનતાની નજર સમક્ષ આવ્યો અને તે માનમરતબા સહિત સફળ થો.
આજે વિનોબાજી આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રમાં ફેલાયેલી વિષમતાની બીમારીને દૂર કરવા તેની સામે અહિંસાનો પ્રયુગ જ કરી રહ્યા છે. અહિંસા અને વિશ્વશાંતિ
અભિપ્રાય એ છે કે જુદા જુદા યુગમાં અહિંસા. આપણે ત્યાં જુદા જુદા પ્રકારની કઠિન સમસ્યાઓનો ઉકેલ લાવવાનું સાધન રહી છે, અને તેથી જ તેની નવી નવી બાજુઓ જનતા સમક્ષ આવતી રહે છે. વાસ્તવિક રીતે જોતાં અહિંસાની ઉપગિતા અમર્યાદ અને શક્તિ અચિંત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org