________________
પા
ધર્મ અને સંસ્કૃતિનો મૂળ આધારઃ અહિંસા
વ્યક્તિ અને સમાજના જીવનનું મુખ્ય અવલંબન અહિંસા છે અહિંસાને પ્રાણ જ તેમાં ધબકતે દેખાય છે. શ્વાસોચ્છવાસ-પ્રાણના અભાવમાં જેમ વ્યક્તિ જીવી શકતી નથી, તે જ પ્રમાણે અહિંસાના પ્રાણ વિના પણ વ્યક્તિ અને સમાજ જીવી શકતાં નથી. અહિંસા આત્માને સ્વભાવ છે
પાશ્ચાત્ય સંસ્કૃતિની ગંદકીને વિચાર અને વિવેક વગર અપનાવનારા અણસમજુ લોકે ધર્મની વિરુદ્ધ ભલેને ગમે તેટલું વિષયમન કરે, છતાં પણ ધર્મ આત્મામાં એકરસ છે. તે આત્માનો સ્વભાવ છે. અને તેથી આત્માની પિઠે જ અમર છે. તે પ્રાણીમાત્રમાં નૈસર્ગિક છે; કુદરતી છે. ઘરમાં ઘર સૌથી ભયંકર ગણાતા પ્રાણુઓનાં હદયના ઊંડાણમાં, તેઓના અંતઃસ્તલમાં પણ અહિંસાના કેટલાક સૌમ્ય કણે અસ્તિત્વ ધરાવતા હોય છે. જે આપણે વિચારની આંખે વડે તેઓના હદયનું આંતરિક રૂપ જોઈ શકીએ તો ત્યાં પણ અહિંસા ભગવતીનું પરમ સુંદર સ્વરૂપ પ્રતિષ્ઠિત થયેલું જોવામાં આવશે.
હિંસક પ્રાણીઓને વિચાર કરતાં જ સૌથી પ્રથમ આપણું ધ્યાન સિંહ તરફ આકર્ષિત થાય છે. વ્યાકરણ શાસ્ત્ર અનુસાર પણ ‘હિંસ ધાતુમાંથી સિંહ શબ્દ ઉત્પન્ન થયેલ છે. ખરું જોતાં સિંહ અત્યંત ખૂનખાર જાનવર છે. અને તેની સ્મૃતિ જ સાધારણ મનુષ્યના હદયને થથરાવી દે છે. સામે ભેટો થઈ જાય તો તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org