________________
જૈન સંસ્કૃતિનું પાવન પર્વ
૪૯
સાગર તે ઉફાંદે ચઢ્યો નથી ને ? વાસનાના કીડા તા ખદબદતા નથી ને ? વિકારાની આંધી તે ઊઠતી નથી ને ? આ બધું કદાચિત્ હોય તે તેને નાશ કરે. એટલા માટે તમારી સમક્ષ અંતકૃત દશાંગ સૂત્ર ચાલી રહ્યું છે. જે મહાપુરુષ એ અંત સમયમાં સંસારના મૂળ કષાયાના અંત આણી દીધા છે. તેએ જ અંતકૃત છે અને તેઓનાં વન હેાવાથી પ્રસ્તુત આગમ અતકૃત કહેવાય છે.
જે વખતે મનમાં વિકારેનું તફાન આવે તે એ વખતે ચિંતનરૂપી પાણીના છંટકાવ કરવા જોઇએ. જ્યારે તન, મન, ધન સત્તા વગેરે પર ગવ ઉત્પન્ન થાય ત્યારે એવું ચિતન કરવું જોઇએ કે આજ તું અભિમાન કરી કે રહ્યો છે પણ એક દિવસ નિગેાદાવસ્થામાં હતા જ્યાં તને શ્વાસ લેવે પણ મુશ્કેલ હતા. જ્યાં એક દિવસ નહિ પરંતુ અનંત અનંત કાળ સુધી રહેવું પડયું, અને નરકમાં-કે જ્યાંની વેદના સાંભળતાં સાંભળતાં રુવાંટાં ઊભાં થઈ જાય છે ત્યાં એછામાં એછાં દસ હજાર વર્ષ સુધી તરફડવું પડયું; જ્યાં માંકડ, કીડી, મકાડા બનીને હજારા વર્ષ વીતાવવાં પડ્યાં છે તે પછી જૂઠું અભિમાન શા માટે કરે છે ?
જૈન દનનું મંતવ્ય છે કે આત્મામાં જે વિકારા આવી ચૂકયા છે તેને નષ્ટ કરે અને જે સદ્ગુણ છે તેને ઉોધ કરે. પર્યુષણ આ જ સંદેશા આપે છે. તે અંધકારમાંથી પ્રકાશ તરફ઼ે, અસતમાંથી સત તરફ, રાગમાંથી ત્યાગ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે.
૬-૪
✩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org