________________
જેને સંસ્કૃતિનું પાવન પર્વ
આ પાનવપર્વ આપણને જાગૃતિને સંદેશ આપવા માટે મહેમાન બનીને આવ્યું છે ! એક માટીનું પૂતળું પણ (એટલે કે માણસ) મહેમાન બનીને તમારા ઘેર આવે છે ત્યારે તમે તેની કેવી ખાતર બરદાસ્ત કરે છે. ભાઈ બહેન પડેશી અને બીજાં જેટલાં સગાં-વહાલાંઓ હેય તે બધાં તેનું સ્વાગત કરવા એકઠાં થઈ જાય છે અને ઉત્તમમાં ઉત્તમ સ્વાદિષ્ટ ભોજન બનાવી તમે તેને સ્નેહથી જમાડે છે, તેનું અભિનંદન કરે છે. એ જ રીતે આ પર્યુષણ પર્વ પણ તમારે ત્યાં મહેમાન બનીને આવ્યું છે, તેનું સ્વાગત તમારે કરવાનું છે. આધ્યાત્મિક જાગૃતિ કરવાની છે. પિતાની જાતને અવલોકવી, આતરચક્ષુ કરી આત્માનાં દર્શન કરવાં તે જ તેનું સાચું સ્વાગત છે. એક મહેમાન જે સુંદર ચમકતી ઝળાંઝળાં થતી મેટરમાં બેસીને અહીં આવે છે તેનું સ્વાગત ન કરતાં તેની મેટરકારનું સ્વાગત કરે, તેની પ્રશંસા કરે, તેની જ સેવા કરે, તેની જ આગતા-સ્વાગતામાં રોકાઈ જાય તો હું પૂછું છું કે શું એથી તે મહેમાન પ્રસન્ન થશે ?
હા, તે હું એ વાત કહી રહ્યો હતો કે પહેલાં મહેમાનની આગતાસ્વાગતા થવી જોઈએ. તે પછી જે સવારીની-વાહનની ખાતર બરદાસ્ત કરવામાં આવે તો તેમાં કંઈ વધે નથી. પર્યુષણમાં આધ્યાત્મિક ઉત્કર્ષ ન કરતાં કેવળ કપડાંઓને ઠાઠમાઠ વધી જાય, કેવળ ધારણાને નામે સુંદર સુંદર મેહનથાળ બનાવવામાં જ આનંદ માનતા રહીએ તે મારે કહેવું જોઈએ કે તમે કેવળ વાહનનું સ્વાગત કર્યું છે, મહેમાનનું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org