________________
૪૪
ધર્મ અને સંસ્કૃતિ જૈન દાર્શનિકે એ અહિંસાની સૂક્ષમ પરિભાષા-વ્યાખ્યા કરી છે અહિંસા એ ભગવતી છે-જેની ઉપાસના વડે મનુષ્ય ભગવાન બની જાય છે. અહિંસા દરેક માણસના મનમાં વિશ્વપ્રેમ અને વિશ્વમૈત્રીની ભાવના ઉત્પન્ન કરે છે. અહિંસક પિોતે કેઈની પણ હિંસા કરતા નથી, તેમ બીજાને હિંસા કરવા ઉશ્રેરિત કરતું નથી.
આજે આખું વિશ્વ વિનાશના કિનારા ઉપર આવીને ઊભું છે. ત્રીજા વિશ્વયુદ્ધનાં નગારાં વાગી રહ્યાં છે જેનાથી માનવના પ્રાણ અંદરથી ગભરાઈ રહ્યા છે. આ વિષમ વેળામાં માનવીને વિનાશમાંથી બચાવી લેનાર કેઈ મહાન શક્તિ હોય તે તે અહિંસા છે.
ધર્મનું બીજુ લક્ષણ સંયમ છે. સંયમ જીવનને ચમત્કાર છે, મહાન ગુણ છે. જેવી રીતે ચમક વગર, ચળકાટ વગર મેતીની કિંમત નથી તેવી જ રીતે સંયમ વિના જીવનની કિંમત નથી. સંયમ અને સદાચાર એક એવું સુગંધિત અત્તર છે, જેને પ્રયોગ કરવાથી મનુષ્ય સદા સર્વદા સુવાસિત બની જાય છે.
ધર્મવીર શેઠ સુદર્શને આ અત્તર લગાડ્યું હતું અને મુનિ સ્થૂલિભદ્ર પણ. સતી સીતા અને દ્રૌપદીએ પણ આજ અત્તરને ઉપયોગ કર્યો હતે. ભારતીય સંસ્કૃતિએ કહ્યું છે કે : માનવ તું સ્વયં અત્તર છે-જે તું ઇન્દ્રિને સ્વામી હોય તો ઈન્દ્રિયોના દાસ બનવામાં વીરતા નથી. વીરતા તો છે ઈન્દ્રિયોના સ્વામી બનવામાં. સંયમ ઈન્દ્રિયવિજેતા બનાવે છે. યૂનાનના મહાન તત્વવેત્તા પાઇથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org