________________
ધર્મને મર્મ ભારતીય મનીષીઓએ જેટલું ધર્મ સંબંધી ચિંતન કર્યું છે તેટલું અન્ય દેશોના ચિતકે એ નથી કર્યું. આર્યાવતના મહામાનવ ભગવાન મહાવીરે કહ્યું-ધર્મ અહિંસા, સંયમ અને તપ રૂપ છે. જે ધર્મમાં અહિંસાને પ્રકાશ નથી; સંયમનું માધુર્ય નથી, તપનું તેજ નથી, તે ધર્મ નથી પણ અધર્મ છે.
અહિંસા ધર્મને પ્રાણ છે. પ્રાણ વગરનું શરીર સડે છે, ગળે છે અને તેમાં કીડા ખદબદે છે. એ શરીર ચાલતું નથી, હાલતું નથી, ચમકતું નથી, પણ નિપ્રાણુ અને મૃત બની જાય છે. તેનું સ્થાન-ઘર નથી પણ સમશાન છે. તેને બાળીને કાં તે રાખ કરી નાખવામાં આવે છે અથવા ધરતીમાં ખાડો ખોદી તેમાં દાટી દેવામાં આવે છે. બહાર રહેવાથી તે વિશેષ હાનિ પહોંચાડે છે.
અહિંસા રહિત ધર્મની પણ એ જ સ્થિતિ છે. જેમાંથી અહિંસારૂપી પ્રાણ નીકળી ગયે હેય એ ધર્મ પણ મુડદું જ છે. તે ધમ જીવનનું ઉત્થાન નહિ પણ પતન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org