________________
ધર્મ અને સંસ્કૃતિ વીર નારીની ગજેને સાંભળીને પણ જ્યારે આશા શાહનું સૂતેલું વીરત્વ ન જાગ્યું તે આશા શાહની વીર માતાએ ઉપરના ઝરૂખામાં બેઠાં બેઠાં તેને પડકાર્યોતેને લલકાર્યો :
કાયર, છાતી વગરના ડરપેક બાદશાહ તેં મારું દૂધ લજાવ્યું. શું આ દિવસ જેવા માટે મેં તને પારણામાં હીંચાળ્યો હતો ? તને તો એમ કહેવું જ લાજમ હતું કે હા પન્ના, હું પ્રાણ દઈને પણ તેનું રક્ષણ કરીશ. હું ઉદયસિંહ ઉપર કોઈ પણ પ્રકારની ઊની આંચ પણ નહિ આવવા દઉં, ઉદયસિંહને વાળ પણ વાંકો ન થાય એ હું જઈશ.”
આશા શાહની વીર જનનીની વીર વાણીમાં એ જ નારીત્વના બેલ ગાજી ઊઠ્યા હતા. જેણે યુગ યુગોથી માણસમાં પિતાની માણસાઈ જગાડી. માનવતા જગાડી નરમાં નરવની પ્રતિષ્ઠા કરી. આ નારીવ જ ભારતીય સંસ્કૃતિની વિશ્વને એક અનુપમ અને અને ખી દેણગી છે. આજની નારીએ પણ પિતાના એ ભુલાયેલા નારીત્વને પિતાના પ્રાણોમાં ફરીને જગાડવું પડશે, ઓળખવું પડશે, માણસ માણસના જીવનના કણ કણમાં નવી તિ, નવી જાગૃતિ પહોંચાડવી પડશે, ફેલાવવી પડશે. ત્યારે જ આજની નારી પિતાના નારીત્વને સાચવી શકશે, રક્ષી શકશે અને તેની શોભા વધારી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org