________________
ભારતીય સંસ્કૃતિમાં નારીનુ નારીત્વ
૯૯
પ્રેમની સદ્ભાવનાની તરફ સહકારની પાવન ગંગા વહેવા દે. બહેનેા, તમારા તપ તેજથી જો રાષ્ટ્ર્ધ્વગત પાપાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર, મિથ્યાચાર અને અત્યાચાર દૂર થઈ શકે તેા આ નારીનું નારીત્વ સમાજ માટે શુભ રહેશે, રાષ્ટ્રમાં મંગળ રહેશે અને સમાજમાં સુખ અને સમૃદ્ધિની ગગા વહેશે.
નારી, તું જાગ. યુગ આપમેળે જ જાગશે. તું ચેત, સમાજ ચેતશે. તું ઊઠે, રાષ્ટ્ર ઊઠશે, તું ચાલ, એટલે સમસ્ત ચાલી ઊડશે. અને ફરીને ભારતના ઇતિહાસકાર લખશે કે ચેતનાની અધિદેવતા નારી છે.
ભારતીય સ'સ્કૃતિમાં નારી વિવિધ રૂપેામાં ગતિશીલ રહી છે. જ્યારે નારીએ પેાતાના સબળ હાથમાં તલવાર ઉઠાવી રણપ્રયાણ કર્યું. ત્યારે એક એક માણસે શક્તિરૂપે તેની પૂજા કરી. ભારતનું બૌદ્ધિક ધરાતલ ઊંચું લાવવાના સવાલ આવ્યે તે સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવી. રાષ્ટ્રની દરિદ્રતા અને હીનતા તથા દીનતા દૂર કરવા માટે લક્ષ્મીની પૂજા-પ્રાર્થના થઇ. આ રીતે નારી, જીવનના દરેક પાસામાં હંમેશાં અગ્રેસર જ રહી છે. નારીનું નારીત્વ બધી જ જગાએ અવ્યાહત અનીને સ્થિર રહ્યું છે.
માનવ જાતિમાં જ ફ્ક્ત નારીનુ માતૃત્વ કેદ નથી રહ્યું, સીમિત નથી રહ્યું, પરંતુ પશુયેાનિમાં પણ તે માતૃત્વ ગાય માતા'ના રૂપમાં આજે પણ યુગને નવા તાજો સવાલ મનીને ભારતના પ્રત્યેક મનુષ્યના, પ્રત્યેક નાગરિકના મનમાં વસીને ચકરાવા લઈ રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org