________________
૩૭
ભારતીય સંસ્કૃતમાં નારીનું નારીત્વ શાહીથી વિવેકની કલમ વડે લખાયાં છે તેનું પરિશીલન કર. એટલું યાદ રાખજે કે તારી કીર્તિ સાજ-શૃંગાર, ધનધાન્યની વિપુલતામાં નથી પણ સતીત્વના પાલનસંરક્ષણમાં છે.
ધારિણી રાણીનું જીવન જેણે જોયું અને જાણ્યું છે તે જ નારી પિતાના સતીત્વનું મૂલ્યાંકન કરી શકે છે. એક લુટારા સારથિએ ધારિણીને કહ્યું હતું કે-“ જાણે છે ધારિણી, હું શા માટે તમે અહીં ઉપાડી લાવ્યે છું ? તું દધિવાહનની રાણું છે એ સ્વપ્ન તું ભૂલી જા. અને મારી ઈચ્છાને તાબે થા. તું મારા વશમાં છે એ સત્યને સતત નજર સામે રાખ. તારી સુષમારૂપી સુધાનું હું પાન કરવા ઈચ્છું છું. તારા પ્રેમરૂપી અમૃત વડે હું મારી ઘણા વખતની જૂની તરસ છીપાવવા માટે તડપી રહ્યો છું, ચંચલ બની રહ્યો છું. મારી દેવતા ! તારાં રૂપ-કણોને હું મારા મનમંદિરમાં સંગ્રહ કરવા ઈચ્છું છું. ”
ધારિણું રાણીને એક બાજુ પોતાની અસહાયતાનું ભાન અને બીજી બાજુ પાપીના પાપને ભય. જીવનની સંધિ-રેખાની સાંકડી ગાળીમાંથી તે ચાલી રહી હતી. મદેન્મત્ત ગજરાજ શિક્ષાના અંકુશથી વશમાં ન રહી શક્યો, સમજી ન શક્યો. વાસનાની મદિરાના કેફમાં તે ચકચૂર હતા, બેભાન હતા, આસપાસ રક્ષણને કઈ આધાર ન જોઈ પ્રભુના ચરણકમળમાં તે પ્રાર્થના કરવા લાગી
પ્રત્યે મારું રાજ્ય ગયું. સર્વસ્વ છીનવાઈ ગયું. આજે મારા સતીત્વની પરીક્ષા છે. પ્રત્યે, જે વડે હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org