________________
૩૪
ધર્મ અને સંસ્કૃતિ છે કે જે આગને પી જઈશીતળ જળની વર્ષા કરે છે. અને જે તિરસ્કાર પામીને પણ સત્કારનાં સુરભિત પુપોની નિરંતર વર્ષા કરતું રહે છે. ભારતની સંસ્કૃતિને અનુરૂપ ભારતીય નારીનો આ જ પરિચય છે, અને આ જ યથાર્થ સ્પેશ ઇતિહાસ.
મહાન ભારતના રાષ્ટ્રીય કવિની વાણીમાં નારીને નારીવની પરિભાષા (વ્યાખ્યા) આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે?
नारी जीवन धन्य, तुम्हारी यही कहानी ।
आँचलमें है दूध, और आंखोमें पानी ।।
નારીનું સરલ અને નિશ્ચલ મમત્વ પિતાની સીમાનાં બંધન તેડીને આંસુરૂપે વહેવા લાગે છે. અને તે નારીના નારીત્વને ટેકે આપતું પુરુષના પુરુષત્વને જાગ્રત કરે છે. કર્તવ્યપાલનને માટે તેને પ્રોત્સાહન અને પ્રેરણા આપે છે. નારી હૃદયને નેહ અનુકૂળતામાં દૂધ અને પ્રતિકૂળતામાં પાણીનું રૂપ ગ્રહણ કરી લે છે.
મેં હમણાં જ તમારી આગળ ભારતના નારીત્વની જે વ્યાખ્યા કરી છે તે ભારતની સંસ્કૃતિને અનુરૂપ છે. ભારતને ઈતિહાસ આ સત્યને સાક્ષી છે. સીતાના સતીત્વે રામમાં રામત્વ જગાડયું અને રાધાના પ્રેમે કૃષ્ણમાં કૃષ્ણત્વ પ્રફુટિત કર્યું. સીતારામ, ગૌરીશંકર અને રાધેશ્યામ આ ભાવનાના પ્રતીક સમાસનાં અંત પદો છે. ભારતની નારી જાગી તો ભારત જાગ્યું. ભારતની નારીના ઉથાનથી સમાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org