________________
ભારતીય સંસ્કૃતિમાં નારીનું નારીત્વ
નારી જીવન વિશ્વનું એક વિરાટ વરદાન છે. નારીનું નારીત્વ એક વિરાટ સમસ્યા છે. તેના હૃદયમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. જે પુણ્ય ક્ષણોમાં નારી સ્નેહસરિતામાં વહે છે ત્યારે વિશ્વના રંગમંચ પર આનંદ અને મંગળનું અમીવર્ષણ થાય છે. પણ એ જ નારીત્વ જ્યારે કોઈની ક્ષણમાં હોય છે ત્યારે સંસારમાં સર્વનાશનું દૃશ્ય ઉપસ્થિત થઈ જાય છે. તેથી નારીનું નારીત્વ જીવન અને મરણનું અધિદેવ ગણાયું છે, તરણ અને મરણની સીમા રેખા. એક વિદેશી કવિની વાણીમાં
નારીનાં નેત્રોમાં પ્રેમ પણ છે અને આગ પણ છે તેની જીવનવેલને વિશ્વાસ અને સત્કારના નેહથી સાચે છે. તે તેના પ્રેમનો અધિકારી છે. જે દ્વષ આપે છે તેને માટે નારી એક એવી ધગધગતી આગ છે કે જે તેને બદલો લઈને જ શાન્ત થાય છે.”
પરંતુ નારીનું આ ચિત્ર ભારતના નારીત્વને લાગુ પડી શકતું નથી. ભારતની નારીમાં એક એવું નારીત્વ
ધ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW.