________________
स्वाध्यायान्मा प्रमदः આધ્યાત્મિક ગ્રંથ પણ વાંચવા હોય છે. રોજ રેજ શાસ્ત્ર પઠન કરવાની પરિપાટી રાખવાથી સમાજ ધર્મ પુર્ણ થાય છે, અને શાસ્ત્રીય જ્ઞાનની વૃદ્ધિ વડે શ્રાવકસમાજ ધર્મ– સાધનમાં સ્વાશ્રયી બને છે. સાધુ-સાવીઓની ગેરહાજરીમાં પણ વાંચનની પરંપરા ચાલુ રાખવાથી ધર્મસ્થાનનું સદા મુક્ત દ્વાર રહી શકે છે. સાધુએ વિના આર્યસમાજ બ્રહ્મ. સમાજ અને શિખ વગેરે અમૂર્તિપૂજક સંઘ સ્વાધ્યાયથી જ પ્રગતિશીલ દેખાઈ રહ્યા છે. આ ગૃહસ્થ સમાજમાં
શિક્ષણના પ્રસારનું જ ફળ છે. સ્થાનકવાસી જૈન સમાજને તે સાધુજનેના કરતાં શ્રત સ્વાધ્યાયનો જ મુખ્ય આધાર છે. તેથી સાધુ સંખ્યાની અલ્પતા અને વિશાળ ધાર્મિક ક્ષેત્રને જોતાં, શ્રાવક સમાજે સ્વાધ્યાયને ચેગ્ય પ્રચાર કર્યો તે સંઘનું ભવિષ્ય નુકસાનકારક નહિ નીવડે એમ કહેવું કદી અતિશક્તિ ભરેલું નહિ થાય.
જ્ઞાતા ધર્મકથામાં નંદ મણિયારનું વર્ણન આવે છે. ભગવાન મહાવીરને શિષ્ય હોવા છતાં પણ તે સાધુઓનાં દર્શન ન થવાથી સેવા અને શિક્ષણના અભાવથી સમ્યક્ત્વ પ્રાપ્તથી પડી ગયે. સત્સંગ અથવા સ્વાધ્યાય દ્વારા ધર્મશિક્ષણ એને મળતું રહ્યું હોત તો આ પરિણામ ન આવત અને તેને આર્તભાવમાં મરીને દુર્દર નિમાં ન જવું પડત. અત્યારના શ્રાવક સમાજે એ ઉપરથી શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ.
ષડું આવશ્યકમાં સામયિક, પ્રતિક્રમણ અને જીવાદિ તોનું જ્ઞાન તે સામાન્ય સ્વાધ્યાય છે જ. તેને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org