________________
૨૮
ધર્મ અને સંસ્કૃતિ કરે છે. પ્રમાણિત શ્રાવકને માટે તે સ્વયં શાસ્ત્રકારે નિગ્રંથ પ્રવચનમાં “કેવિદ’ કહીને શાસ્ત્રજ્ઞાનને પંડિત દર્શાવ્યું છે. વળી જ્ઞાતા ધર્મકથામાં સુબુદ્ધિ પ્રધાનનું વર્ણન આવે છે તેણે પુદ્ગલ પરિણતિને સમજાવીને રાજા જિતશત્રુને જિનધર્માનુગામી બનાવ્યું હતું. શાસ્ત્રના મૌલિક જ્ઞાન વિના આ બધું શકય નથી બની શકતું. એટલા માટે માનવું જ જોઈએ કે શ્રાવકો પણ સ્વાધ્યાયશીલ રહેતા હતા.
તુગિયા નગરીના શ્રાવકોનું જ્ઞાન તો મુનિઓને પણ પ્રભાવિત કરે તેવું હતું. સાધુજને ગુરુજને પાસેથી ક્રમિક પાઠ લઈને શાસ્ત્રનું જ્ઞાન ગ્રહણ કરતા હતા. અને શ્રાવકે શ્રવણ પરંપરાથી પ્રસંગ પર સાંભળેલા પ્રવચનેમાંથી કરીને જ્ઞાન ગ્રહણ કરતા હતા..
આ રીતે શ્રાવક સમાજમાં મુખ્યત્વે અર્થાગમ તથા ગૌણ રીતે સૂત્રાગમનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવામાં આવતું હતું. એ વાત લગભગ નિર્વિવાદ છે. પ્રતિક્રમણ સૂત્રમાં ઘતેની પેઠે જ્ઞાનના અતિચારોનો ઉલ્લેખ છે. ત્યાં સૂત્ર, અર્થ તથા તદુભય રૂપ ત્રણ આગમ બતાવીને તેના ૧૪ દેષો બતાવ્યા છે; જે મૂળ સૂત્રની અપેક્ષાએ સંગત હોઈ શકે છે. પરંપરાની દષ્ટિએ મંદિરમાગી પરંપરા અને તેરાપંથી પરંપરામાં શ્રાવકને માટે સૂત્રુવાંચનને નિષેધ હતો. પરંતુ અત્યારના મુદ્રણયુગમાં હવે શાસ્ત્ર એટલાં સુલભ થઈ ગયાં છે, કે કેવળ જૈન જ નહિ પણ અજૈન તથા વિદેશી લોકોને પણ શાસ્ત્ર હસ્તગત થવા લાગ્યાં. લોકો કાળ અકાળની અપેક્ષા કર્યા વિના વાંચવા લાગ્યા. કેટલાક અજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org