SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ધમ અને સંસ્કૃતિ અને ખીજા પહેારમાં અનુ' ચિંતન કરવામાં આવતું હતું. એટલા માટે પ્રથમ સૂત્ર-પૌરુષી અને ખીજી અથ-પૌરુષી કહેવામાં આવતી હતી.૧ વિધિપૂર્વક શ્રુતનું આરાધન કરવા માટે આઠ આચાર બતાવવામાં આવ્યા છે-૧. જે શાસ્ત્રના જે કાલ નિયત થયા હાય તે શાસ્ત્રનું તે જ સમયે પઠન કરવું તે કાલાચાર છે. ૨. વિનયપૂર્ણાંક ગુરુને વંદન કરીને શાસ્ત્રનુ વાંચન કરવું તે વિનયાચાર છે. ૩. શાસ્ર તેમજ જ્ઞાનદાતા પ્રત્યે બહુમાન રાખવું તે બહુમાન આચાર છે. ૪. તપ આયંબીલ અથવા નીવી કરીને શાસ્ત્ર વાંચવું તે ઉપધાન આચાર છે. ૫. શબ્દોમાં હ્રસ્વ દીર્ધાદિ માત્રા સહિત શુદ્ધ ઉચ્ચારણ કરવું તે વ્યજનાચાર છે. ૬. સમ્યગ્ અર્થની વિચારણા તે અર્થાચાર છે. ૭. મૂલ તથા અખંનેના સમ્યક્ ઉચ્ચારણ અને પ્રરૂપણ કરવું તે ઉભયાચાર છે. કલ્યાણાથી આએ કસમયના અકાળ અને અસ્વાધ્યાયને બચાવીને વિધિપૂર્વક સ્વાધ્યાય કરવા જોઈએ તે ઉભય લેાકમાં મ’ગલકારી છે. શ્રાવક સમાજ અને સ્વાધ્યાય શ્રમણ અને શ્રમણીમાં તે આજે પણ શાસ્ત્રવાંચન થતુ હોય છે. એટલું ખરું કે પહેલાનાં કરતાં આજે આ તરફની રુચી જરૂર ઘટી છે અને કેટલાક તે વમાનપત્ર અને સાહિત્યને જ સ્વાધ્યાય માનીને ચાલે છે. પરંતુ १. उस्सग्गेणं पढमा, हग्घडिआ सूप्त पौरिसी भणिआ ! बिईआय अत्थ વિસયા,નિધ્દિા વિટ્ટામવેદિ। ”ર્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy