________________
स्वाध्यायान्मा प्रमदः
સ્વાધ્યાય માટે આચાર્યોએ અન્ય હેતુઓ પણ દર્શાવ્યા છે. ૧ બુદ્ધિની નિર્મળતા. ૨ પ્રશસ્ત અધ્યવસાયની પ્રાપ્તિ. ૩ શાસન રક્ષા. ૪ સંશય-નિવૃત્તિ. ૫ પરવાદીઓની શંકાઓનું નિરસન. ૬ ત્યાગ-તપની વૃદ્ધિ અથવા અતિચારશુદ્ધિ વગેરે માટે સ્વાધ્યાય કરવામાં આવે છે.' સ્વાધ્યાયથી લાભ
સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય છે વાંચનથી જ્ઞાનાવરણ આદિ કર્મની નિર્જરા થાય છે. અને સૂત્રના વાંચનથી અશાતના ટળે છે. વિધિપૂર્વક શાસ્ત્રનું વાચન કરવાથી શ્રતજ્ઞાનરૂપ તીર્થધર્મનું અવલંબન કરવાથી મટી કર્મનિર્જરા અને મહાન સંસારનો નાશ થાય છે. વાંચન કરનારાને પ્રશ્નો પૂછવા પડે છે, અને પ્રશ્નો પૂછવાથી સૂત્ર, અર્થ અને તેની બને ત્રટીઓ દૂર થાય છે. અને સૂત્રાદિની શુદ્ધિ થાય છે. તથા અધ્યયનની વિવિધ આકાંક્ષાઓ જે મનને અસ્થિર કરે છે, તે કાંક્ષા મોહનીયન નાશથી નાશ પામે છે.
સ્થિરીકરણ માટે પઠિત વિષયનું પરાવર્તન કરવામાં આવે છે. પરાવર્તનના ભુલાયેલા અક્ષરો યાદ થવાથી અને વિશેષ પ્રકારના ક્ષપશમથી પદાનુસારી આદિ વ્યંજન લબ્ધિ પ્રાપ્ત થાય છે.
ચિંતનરૂપ અનુપ્રેક્ષા પણ સ્વાધ્યાય છે. ચિંતનથી આયુકર્મને બાદ કરતાં સાત કર્મ પ્રકૃતિઓને દઢબંધનમાંजाणिस्सा भित्ति कटु
२ तत्त्वार्थ राजवार्तिक
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org