________________
ધર્મ અને સ સ્કૃતિ અનશન આદિ બાહ્ય ત૫ શરીરને લક્ષિત રાખીને થતું હોય છે. પણ સ્વાધ્યાય અંતરંગ તપ હોવાથી તે લક્ષિત થતું નથી. એથી તે ગુપ્ત તપ છે. શાસ્ત્રનું વાંચન અને શિક્ષણ શા માટે ?
સ્થાનાંગ સૂત્રમાં શાસ્ત્રનું વાંચન શા માટે કરવું તથા શિષ્ય શાસ્ત્રનું શિક્ષણ શા માટે લેવું તેના પર વિચાર કર્યો છે. સૂત્ર વાંચવા માટેનાં પાંચ કારણે બતાવવામાં આવ્યાં છેઃ (૧) વાંચનથી શ્રતને સંગ્રહ થશે. (૨) શિષ્યનો ઉપકાર થશે અને શ્રત જ્ઞાનથી ઉપકૃત થઈને શિષ્ય પણ પ્રેમભાવથી સેવા કરશે. (૩) જ્ઞાનનાં પ્રતિબંધક કર્મોની શ્રત પાઠથી નિર્જરા થશે. (૪) અભ્યાસમુક્ત શ્રત વિશેષ સ્થિર થશે. (૫) વાંચનથી સૂત્રને વિચ્છેદ પણ થશે નહિ અને અવિચ્છન્ન પરંપરાથી શાસ્ત્રજ્ઞાન ચાલતું રહેશે.'
સૂત્ર શીખવાનાં પણ પાંચ કારણે બતાવ્યાં છે. જેવાં કે- ૧. જ્ઞાનની વૃદ્ધિને માટે ૨. સમ્યગ્દર્શનની શુદ્ધિ અને તેના રક્ષણ માટે. ૩. શાસ્ત્રજ્ઞાનથી ચારિત્ર્યની નિર્મળતા થાય એ માટે. ૪. મિથ્યાત્વ વગેરેના અભિનિવેશથી છુટકારો મેળવવા માટે અર્થાત્ મિથ્યાત્વ આદિ દેષોમાંથી મુક્તિ મેળવવા માટે. ૫. યથાવસ્થિત ભાવનું જ્ઞાન મેળવવા માટે પણ શાસ્ત્ર શીખવું જોઈએ. १. पंचहिं ठाणेहि सूत्तं सिक्खेएज्जा तं जहा (१) संगाहठ्ठयाए, २ उवगाहट्ठयाए ३. निज्जरठ्याए ४. सूत्ते मै पज्जबजाए भविस्सइ ५. सूत्तस्सबा अवोच्छिाक्तिनय ठ्याए
–સ્થાની २ पंचाहें ढाहिं सूतं सिक्खेज्जा, तं जहा-१ गाणट्ठयाए २ दंसणट्ठयए ३ चरित्त ठुयाए ४ वुग्गहविमायण ठुयाए ५ अहवत्थंवाभाए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org