________________
स्वाध्यायान्मा प्रमदः
૨૧
અને પરિશીલનથી આત્માને શારીરિક અને માનસિક સમાધિની પ્રાપ્તિ થાય છે. એથી અનેક પ્રકારના સમાધિસ્થાનમાં મૃત–સ્વાધ્યાયને પણ સમાધિનું એક કારણ માનવામાં આવ્યું છે. શ્રુતવાન જ તપ અને આચારની સમ્યક સાધના કરી શકે છે. એટલે શ્રત સમાધિ પછી ત: સમાધિ અને આચાર સમાધિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શ્રત સમાધિમાં જિજ્ઞાસુ શિષ્ય વિનયપૂર્વક ગુરુને પૂછયું છે. શાસ્ત્રોનું પઠન શા માટે કરવું? અને તેનાથી કઈ ઉપાધિ પ્રાપ્ત થાય છે ?
ઉત્તરમાં આચાર્યે કહ્યું છે : (૧) શ્રુતજ્ઞાનને લાભ થશે એટલા માટે પઠન કરે. (૨) ચિત્તની ચંચલતા દર થતાં એકાગ્રતા પ્રાપ્ત થશે એટલા માટે પઠન કરે. (૩) આત્માને ધર્મમાં સ્થિર કરી શકશે એટલા માટે પઠન કરે. (૪) પોતે સ્થિર થવાથી બીજાને સ્થિર કરી શકશે એટલા માટે પઠન કરે. એકાગ્રતા પ્રાપ્ત થવી એનું નામ જ સમાધિ છે. તપમાં સ્વાધ્યાયનું સ્થાન
સ્વાધ્યાયનું મોક્ષમાર્ગમાં સૌથી આગળ પડતું સ્થાન છે. શ્રત આરાધનનું સ્થાન જ્ઞાન અને તપસ્યા બન્નેમાં આવે છે. બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય એ ચોથું અંતરંગ તપ છે. સ્વાધ્યાય દ્વારા મન અને વાણું બંનેનાં તપ થાય છે.
“ગાય પર તા:” મનના વિકારનું શમન થવાથી અને ધર્મધ્યાનનું આલંબન હોવાથી સ્વાધ્યાય પરમ તપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org