________________
ધર્મ અને વિજ્ઞાન
૧૭ શ્રમણ ભગવાન મહાવીરને આ ઉપદેશ કઈ વ્યક્તિ, જાતિ તથા કેઈ ખાસ સંપ્રદાયને માટે નથી, પણ એવા બધા સાધકે માટે છે, જેઓ પિતાથી જુદા વિચાર ધરાવનાર વ્યકિત અને સમાજને પરાયા સમજે છે, જેના મનમાં ભેદની રેખાઓ ઉપસી ઊઠી છે, જે લેકે પિતાના સંપ્રદાય તથા પરંપરાની બહાર રહેનાર વ્યક્તિઓ તથા સાધકને પરાયા ગણીને તેની ધૃણા કરે છે, તેની નિંદા અને બૂરાઈ કરે છે, તેને તિરસ્કાર કરી તેનું અપમાન કરવાનો પ્રયત્ન કરે છે, એવા અહંભાવના અંધકારમાં ભટકનારા સાધકોને માટે ભગવાન મહાવીરે આ જયોતિમય દીપ પેટા છે. જેનાથી આપણે આપણા અહંકારને દૂર કરી અને પરાયાપણાને ભૂલી જઈ માનવ-માનવની વચ્ચે માનવતા તથા આત્મીયતાનો સંબંધ સ્થાપિત કરી શકીએ એ માટે જ તેમણે સામ્યભાવને દીપક જલાવ્યું છે. આ જ સંસ્કૃતિને આત્મા છે, આ જ સંસ્કૃતિનું મૂળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org