________________
ધમ અને સંસ્કૃતિ રાખ કે તે મારાથી જુદે નથી. પછી ભલેને તે કોઈપણ દેશ, જાતિ, ધર્મ, પથ, વર્ણ તથા લિંગ સાથે સંબંધ ધરાવતું હોય, તે પણ આત્માની દૃષ્ટિએ તેના આત્મા તથા મારા આત્મામાં કેઈપણ જાતને ફરક નથી. એક પતિતમાં પતિત લાગતી વ્યક્તિની અંદર રહેલી આત્મત કઈ સાધુના આત્મામાં રહેલી તથી બિલકુલ ભિન્ન નથી. તે એ જ આત્મજાત છે જે એક સાધુના આત્મામાં વિલસી રહી છે. એટલા માટે ભગવાન મહાવીર સ્પષ્ટ શબ્દમાં કહી ગયા છે કે જીવનના બાહા ભેદને નજર સામે રાખી તે કોઈપણ વ્યક્તિનો તિરસ્કાર ન કર, કેઈને દ્વેષ ન કર, કેઈની સાથે ઈર્ષાભાવ અને વેર વિરોધ ન રાખ, કોઈની સાથે દુર્વ્યવહાર ન કર, તું કોઈ પણ વ્યક્તિની પ્રત્યે પરાયાપણાને ભાવ ન રાખ. બધાની સાથે પિતાપણને ભાવ રાખીને વર્તાવ કર. તું આ વાતને સદા સર્વદા ધ્યાનમાં રાખ
જેને તું મારવા ઈચ્છે છે, આદેશ દેવા ઇરછે છે, પરિતાપ એટલે કે દુઃખ દેવાની ભાવના રાખે છે, પીડા પહોંચાડવાની ઈચ્છા કરે છે, પકડીને બંધનમાં રાખવાની ચેજના બનાવે છે, અને કઈને કઈ રીતે વેદના, દુઃખ અને સંતાપ આપવા ઈચ્છે છે, તે તું પિતે જ છે. તેને આત્મા તમારા આત્માના જેવો જ છે. એટલા માટે પ્રબુદ્ધ સાધકે કેઈપણ પ્રાણની સાથે તેને કષ્ટ, દુઃખ તથા વેદના થાય, એવા પ્રકારનો વર્તાવ નહિ કરવો જોઈએ.”
૧. વારસૂત્ર ૧, ૫, ૬, ૧૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org