SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને વિજ્ઞાન ૧૫ જવું કઈ પસંદ નથી કરતું. એટલા માટે તારે કોઈપણ પ્રાણીને મારવું નહિ, તેને દુઃખ દેવું નહિ અને તેનું શેષણ કરવું નહિ. ભગવાન મહાવીરની સાધના અને તેમના દ્વારા ઉપદેશાયેલા આગમ સાહિત્યનું પારાયણ કરવાથી એ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે કે તેના મૂળમાં સામ્યભાવનો સ્વર ગુંજી રહ્યો છે. સામ્યભાવ સમસ્ત આગમ સાહિત્યને નિચોડ છે, તેનું સાર સત્ત્વ છે. સાધનાનો પ્રાણ છે. સાધકના જીવનમાં ગમે તેટલું ઉત્કૃષ્ટ ક્રિયાકાંડ ભલેને હોય, તેની વાણીમાં દ્વાદશાંગીને સ્વર ભલેને ઝંકાર કરી રહ્યો હોય, સમસ્ત આગમ ભલેને તેને જીભને ટેરવે હોય, પણ તેના હૃદયમાં, તેના મનમાં, તેની વાણીમાં, તેને આચારમાં સમતાનું સાકાર રૂપ નહિ હોય, સામ્યભાવની સાધના મૂર્ત રૂપે ઊતરી નહિ હોય તો તેને સમસ્ત ક્રિયાકાંડ તથા આગમ જ્ઞાન નિપ્રાણ કંગાલ હાડપિંજરની પેઠે જીવનમાં સડે પિદા કરવાવાળાં થાય છે. પછી આત્મવિકાસ માટે તેનું કઈ મૂલ્ય નથી રહેતું. - આત્મવિકાસ માટે સર્વ પ્રથમ જરૂર છે જીવનના કણ કણમાં સામ્યભાવની જાત જગાવવાનું. સમતા એ જ જીવનને આધાર છે. સામ્યભાવને સીધે સાદે અર્થ છે–પ્રાણીમાત્રની સાથે આત્મીયતાને સંબંધ સ્થાપિત કરે, કોઈની સાથે પરાયાપણુંન રાખવું. માનવની સાથે અથવા અન્ય પ્રાણીઓની સાથે વ્યવહાર કરતી વખતે એ બાબતનો ખ્યાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy