________________
ધર્મ અને વિજ્ઞાન હોય તેવું જણાતું નથી. વસ્તુતઃ આ ધર્મ જ જીવનને સુખી બનાવવા માટે આવશ્યક છે. સાથે સાથે વિજ્ઞાન જે જીવન માટે હાલ સુખરૂપ ગણાય છે, તે મનુષ્યજીવન માટે ભારે દુઃખરૂપ અને અનાવશ્યક છે. આ સત્ય ભલે આજ ન સમજાય પણ નજીકના ભવિષ્યમાં તે સત્યરૂપે સિદ્ધ થયા વિના રહેવાનું નથી. આ સત્ય હાલ સમજાવવા છતાં જે ન સમજાય તે સમય જ તે આપે આપ સમજાવશે.
ધર્મ અને વિજ્ઞાન પર વિવેકપૂર્વક વિચાર કરવામાં આવે તે ધર્મની મહત્તા સમજાયા વગર નહીં રહે. નિષ્પક્ષપણે જેવાવાળાને તથા વિજ્ઞાનના કટુ આવિષ્કારોના અનુભવીઓને તે “ધર્મમંગલ” અર્થાત્ ધર્મ જ મંગલકારી છે તે સત્ય સમજાતાં વાર નહીં લાગે.
પ્રાચીન સમયમાં વિમાન, તાર, ટેલિફોન, રેડિયે વગેરે વૈજ્ઞાનિક સાધનો ન હતાં તેમ છતાં પ્રાચીન સમયના લેકે અધિક સુખી હતા. આજે વિજ્ઞાન સહજ હેવા છતાં લોકો સુખી છે ખરા? તે સમયે અધિક શાંતિ હતી કે હાલના સમયમાં? વૈજ્ઞાનિક સાધનને અભાવ હોવા છતાં પ્રાચીન સમયના લેકે અધિક સુખ અને શાંતિ ભેગવતા હતા. આનું પ્રેરક બળ કયું? કેના પ્રતાપે આમ બનતું? આજ તે લોકો વિજ્ઞાન પરત્વે એટલા મુગ્ધ છે કે ધર્મનું કઈ નામ જ નથી લેતુ! આનું કારણ લોકેની મેહાવસ્થા જ છે. વિજ્ઞાનની ઉન્નતિ જોઈને જ્ઞાની લેકે પ્રસન્ન થાય છે કારણ કે વિજ્ઞાન શાંતિની સંહારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org