________________
ર૩૬
ધર્મ અને સંસ્કૃતિ હતો. પ્રતિપળ, પ્રતિક્ષણ મનુષ્યની જરૂરિયાત તે કાળી માતાની જીભની જેમ વધી રહી હતી, પણ કલ્પવૃક્ષેની શક્તિ ક્ષીણ થવાથી જરૂરિયાતોની પૂર્તિ બરાબર થઈ શકતી ન હતી. સાધનના અભાવથી સંઘર્ષ થવા લાગ્યો. વાદવિવાદ, લૂંટફાટ, અને ઝૂંટાઝૂંટ ચારે બાજુ થવા લાગ્યાં. સંગ્રહબુદ્ધિ પેદા થવા લાગી. નેહ, સરલતા, સૌમ્યતા, સૌહાર્દ વગેરે સદ્દગુણોમાં પરિસ્થિતિની વિવશતાથી પરિવર્તન આવવા લાગ્યું. અપરાધી મને ભાવનાનાં બીજ અંકુરિત થવા લાગ્યાં. શાસન વ્યવસ્થા
વિખ્યાત રાજનૈતિક વિચારક ટોમસ પેને લખ્યું છે કે “માનવી પોતાની બૂરી પ્રવૃત્તિઓ ઉપર સ્વયં નિયંત્રણ ન રાખી શક્યો એટલે શાસનને જન્મ થયે. શાસનનું કાર્ય છે કે તે મનુષ્યની બૂરી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખે. સારી પ્રવૃત્તિ ફૂલની લતા છે, ફલનું વૃક્ષ છે. જેને બૂરી પ્રવૃત્તિની ઝાડીએ ઘેરી લે છે, અને તેથી તેને વધવા દેતી નથી. તે તેના વિકાસને રૂંધે છે. શાસનનું કામ આ ઝાડીઓને કાપી નાખવાનું છે. "
આ સંદર્ભના પ્રકાશમાં આપણે જેને સંસ્કૃતિની દષ્ટિએ જોઈએ તે પણ શાસન વ્યવસ્થાનું મૂળ અપરાધ અને અવ્યવસ્થા જ છે. અપરાધ અને અવ્યવસ્થા પર નિયંત્રણ મૂકવાના હેતુથી જ સામૂહિક જીવન જીવવા માટે માનવ વિવશ થયા. આ સામૂહિક વ્યવસ્થા જ “કુળ” કહેવાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org