________________
૨૩૪
ધર્મ અને સંસ્કૃતિ ભાષિત રૂપ આપે છે, અવ્યક્ત વિચાર ધારાઓને વ્યક્ત કરે છે, તેવી જ રીતે સમાજમાં અથવા રાષ્ટ્રમાં જે વિચારધારાઓ ચાલે છે, જેને પ્રત્યેક વિચારક અનુભવ તે કરે છે પરંતુ અનુભૂતિની તીવ્રતાના અભાવમાં તે તેને અભિવ્યક્ત કરી શકતું નથી. યુગ પુરુષની અનુભૂતિ તીવ્ર હોય છે અને અભિવ્યક્તિ પણ તીવ્ર હોય છે તે જનતાજનાર્દનની વિચારધારાઓને બેતાર તારની (વાયરલેસની) માફક મુખરિત કરે છે. તેની વિમલ વાણીમાં યુગની વાણુને ઝંકાર હોય છે. અને એના કર્મનું કર્મ ક્રિયાશીલ હોય છે અને એના તે ચિંતનમાં યુગનું ચિંતન ચમકતું હોય છે.
યુગપુરુષ પિતાના યુગનું સફળ પ્રતિનિધિત્વ કરે છે. જનજનના મનનું અધિકાર સહિત નેતૃત્વ કરે છે, અને તે યુગની જનતાને સાચું દિશા-દર્શન. માર્ગ–દર્શન આપે છે. ભૂલા પડેલા ભટકતા જીવનમાર્ગના પ્રવાસીઓને પથપ્રદર્શન કરે છે તેથી તે સમાજરૂપી શરીરનું મુખ પણ છે અને મસ્તિષ્ક પણ છે.
ભગવાન શ્રી ઋષભદેવ એવા જ યુગપુરુષ હતા, જેમણે પોતાના યુગની ભેળી–ભાળી સીધી સાદી જનતાને સત્ય, શિવ અને સુંદરને પાઠ પઢાવ્યો. જન જીવનને ન વિચાર, નવી વાણી અને નવું કર્મ આપ્યું. ભેગમાર્ગથી હટાવીને કર્મમાગ, પ્રવૃત્તિમાર્ગ અને વેગમાર્ગ તરફ વાળ્યા. અજ્ઞાનરૂપી અંધકારમાંથી હટાવી જ્ઞાનને વિમલ પ્રકાશપ્રદીપ પ્રજવલિત કર્યો. માનવ સંસ્કૃતિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org