________________
૨૩૨
ધર્મ અને સસ્કૃતિ
“ કાઇ પરાયું નથી, સમસ્ત સંસાર જ મારું ઘર છે”ની કલ્પના સાકાર થવાથી પરાયા ને શત્રુ નહી રહેવાથી ઝઘડા ને સંઘષ કહ્યાં કેાની સાથે થશે ? “સંયુક્ત રાષ્ટ્રસંઘ”ની જગ્યાએ એક જ રાષ્ટ્રસંઘ રહેશે. એકવાર માનવજગતના રાજનૈતિક ભાગ્યવિધાતાઓ અને સંપૂર્ણ માનવજાતિને ‘અત્યાર’ની પ્રથમ શ્રેણી ઉત્તીણુ કરવી પડશે અર્થાત્ જીવન અને જગતને ઉદય કરવા માટે તે દિવ્ય સંસ્કૃતિનુ નીચેનુ સૂત્ર શીખવું પડશે. જેમ “ મિત્રિમે-ક્ષત્ર મૂત્યુ વૈર-મજ્ઞ ન ળરૂ ” અર્થાત્ ખધા તારા મિત્રો છે, મને કાઇ પર વેર કે દ્વેષ નથી અને મારા કોઇ શત્રુ નથી. ભારતીય સંસ્કૃતિની આવી પ્રકાશમાન દિવ્યસૂત્ર વિદ્યા છે જેને વાસ્તવિક વિદ્યા કહી શકાય છે. આ વિદ્યા વિના સંપૂર્ણ વિદ્યા અવિદ્યા છે. અને સંપૂર્ણ જ્ઞાન, વિજ્ઞાન તથા ભૌતિક જગતના ચમત્કાર આના વગર વ્યર્થ છે. અસફળ છે. ભલે માનવ ભૌતિક વિદ્યા અર્થાત્ જડ અવિદ્યાર્થી આકાશમાં હરણફાળ ભરે છતાં પણ માનવ સમાજ વાસ્તવિક ઉત્કષને-સુખને પ્રાપ્ત નહી કરી શકે. તેથી ભારતીય સંસ્કૃતિ જ વિશ્વમાં સુખશાન્તિ નારી અમૃત જેવી મહાન ઔષધિ છે. જ્યારે આ સંસ્કૃતિના સૂર્ય` આખાયે વિશ્વમાં પ્રકાશમાન થશે ત્યારે જીવન અને જગતને સંપૂર્ણ દુઃખમય અધકાર નાશ પામશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org