________________
ભારતીય સંસ્કૃતિને દિવ્ય સંદેશ
૨૩૧ અને જે વધારે હોય તે તેને દાનસ્વરૂપે સઉપગ કરવો જોઈએ. આમ ભારતીય સંસ્કૃતિમાં નિસર્ગિક રૂપથી સામ્યવાદને સ્વર ઝંકાર કરી રહ્યો છે.
બીજા દેશ ભલે તે આર્થિક, રાજનૈતિક તથા વૈજ્ઞાનિક દષ્ટિએ સંપન્ન હોય પણ ભારતવર્ષને સાંસ્કૃતિક અર્થાત આધ્યાત્મિક વૈભવ માત્ર ભારતવર્ષની જ નહીં પરંતુ આખાયે વિશ્વની ને માનવમાત્રની બહુમૂલ્ય સંપત્તિ છે.
વિશ્વમાં જે વખતે વિજ્ઞાનની જેમ જ આધ્યામિક વિજ્ઞાનને આદર થવા લાગશે તે જ વખતે માનવ સમાજની સમસ્ત દુઃખ અને કલેશેની નરકવાળાએ શાંત થઈ જશે. જયારે આધ્યાત્મિક વિજ્ઞાન વિકાસનાં સર્વોત્તમ શિખર ઉપર પહોંચશે તે રાજ્યનીતિ પણ ધર્મપ્રધાન બનશે અને સમસ્ત વિશ્વ એક રાષ્ટ્ર જેવું બનશે. તથા બધા દેશે એક જ રાષ્ટ્રના ભિન્ન ભિન્ન પ્રાંતની જેમ એક જ રાષ્ટ્રનાં અભિન્ન અંગે થશે અને તેનાં રહેવાસીઓ સમસ્ત માનવસમાજ એક જ રાષ્ટ્રનાં નાગરિક બનશે. એક જ સત્યને પ્રેમના સંબંધથી સારી માનવજાત અને બધા ધર્મો તથા માનવ સંસ્કૃતિ પણ એક જ થશે. આ જ માનવસંસારની પૂર્ણ સફળતા છે.
એકવાર સારીયે માનવસૃષ્ટિ જે અહિંસાની સુખદ છાયામાં બેસીને ભારતીય સંસ્કૃતિની અધ્યાત્મરૂપ અમૃતરસધારાનું પાન કરશે તે તે અભય ને અમર બની જશે. તે સમયે એક જ ધર્મમય શાસનતંત્ર એક જ સર્વશ્રેષ્ઠ મહાત્માની જેમ ધર્મજ્ઞ-શાસક અને એક જ દેશની પ્રજાના જેવાં બંધુત્વ ભાવથી સમસ્ત માનવજાત રહેશે તો પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org