SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ધર્મ અને સંસ્કૃતિ ચાલતી માનવજાતિના ઉદ્ધાર કરનારી અમૃતમયી સ'જીવની ભારતીય સંસ્કૃતિ જ છે. ભારતીય સસ્કૃતિઓમાં અધ્યાત્મ વિદ્યા જ સંપૂર્ણ નૈસર્ગિક સુખાના સ્રોત છે. આ વિદ્યાના અભાવથી સંપૂર્ણ ભૌતિક વિદ્યા અને શારીરિક સુખસાધન વ્યર્થ છે, અંધકારમય છે. એથી ભારતના મહાન મહષિ એએ વિશ્વને દિવ્યસંદેશ આપ્યા, “તમને મા ક્યાતિનમય નૃત્યેામાં અમૃતં ગમય ।” જે સુખસાધનાની માહિની માયામાં અટવાઈને માનવ માનવના પ્રાણ હરનારા શત્રુ ખની જાય છે, તે માયા અર્થાત્ પરિગ્રહનાં વિષયુક્ત વૃક્ષનાં મૂળે પર ભારતીય અધ્યાત્મવાદીઓએ પ્રહાર કર્યાં અને તેના ત્યાગને ઉપદેશ આપ્યા. સપૂર્ણ વિશ્વના અતુલ વૈભવને પ્રાપ્ત કરીને પછી ચક્રવતી સમ્રાટને જેટલું સુખ પ્રાપ્ત ન થઈ શકે તેટલું સુખ એક ત્યાગી મહિને થાય છે જે સપૂણ બાહ્ય સુખસાધનેને ઠાકરે મારીને પ્રકૃતિનાં સ્વાભાવિક સાધના પર નિર્ભીર રહે છે. વિશ્વના સંપૂર્ણ બાહ્ય ભૌતિક વૈભવથી પણ આધ્યાત્મિક વૈભવનું મૂલ્ય ઘણુ વધારે છે. તેથી જ એક ચક્રવતી સમ્રાટ પણ ત્યાગી મહિષ નાં ચરણામાં નમે છે અને તેવી જ રીતે અકૃત્રિમ અને અનંત સુખપ્રાપ્તિની કામના કરે છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર માનવે પેાતાનાં શરીરનિર્વાહ માટેનાં સાધના અત્યંત મર્યાદિત રાખવાં જોઈ એ. १ तण संथारणिरससन्नो, मुणिवरो भट्टराय मोहस्स जं पावई मुत्तिसुहं तंकतो चक्कवट्टी बि ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy