________________
ભારતીય સંસ્કૃતિના દિવ્ય સદેશ
૨૨૯
આજે માનવસમાજ માટે પ્રકૃતિજન્ય અને શારીરિક
દુઃખ જેટલાં વધારે ભયકર અને વિનાશક નથી, પણ તેનાથીયે વધારે દુ:ખેા ને વિનાશ વધારનાર માનવના આંતરિક વિકાર છે. અત્યારે વિશ્વમાં અખિલ માનવજાતિના માથા પર હિંસા, ભેગવાદ અને પરિગ્રહવાદના સર્વગ્રાહી દૈત્યે ઘુમરાઈ રહ્યા છે જે વિશ્વયુદ્ધની ભૂમિકા નિર્માણ કરી રહ્યા છે. આ શું ખૂબ દુઃખની અને શરમની વાત નથી કે ચદ્રલેાક પર ઊડનારા માનવ પેાતાના પગતળે જલતી હિંસાની મહાજ્વાળાને શાંત નથી કરી શકત.. ભલે ભૌતિક વિજ્ઞાન આખાયે વિશ્વને જડપ્રકૃતિ પર વિજયમાળ લહેરાવીને આકાશ-પાતાળને એક કરે. પણ તે એક નાનકડા માનવવિકાર પર વિજય નથી મેળવી શકતા. જ્યાં સુધી માનવ પેાતાના જેવાં માનવડાહ્યાં પર વિજય કરીને માનવ–મૈત્રી દ્વારા વિશ્વશાંતિના પાઠ નથી ભણાવી શકતા ત્યાં સુધી ભૌતિક વિજ્ઞાન દ્વારા થયેલેા તેના મહાવિજય પણ પરાજયમાં પરિવર્તન પામે છે. અને આ માનવતા તથા માનવજાતની કપરી હાર છે અને છે જ. વિજ્ઞાન તથા માનવ સંસ્કૃતિની ભયંકર અસફળતા માનવનાં માનસિક વિકાર, હિંસા, દ્વેષ વગેરેનેા નાશ કરવા માટે વિશ્વને ફરી એકવાર અધ્યાત્મપ્રધાન ભારતીય સંસ્કૃતિનુ શરણ લેવું પડશે ત્યારે અખિલ વિશ્વના દરેક માનવનું અને તેની ભિન્ન સંસ્કૃતિઓનું રક્ષણ થશે. આધુનિક જગતમાં ભૌતિક વિજ્ઞાનની શેાધેા કરતાં યે આધ્યાત્મ વિજ્ઞાનનું મહત્ત્વ વધારે આવશ્યક છે. વિનાશ પંથે આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org