SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ધર્મ અને સંસ્કૃતિ અને મોક્ષને જીવનનું પ્રમુખ લક્ષ્ય માને છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિ શરીરસુખને પ્રમુખ લક્ષ્ય માને છે. તેથી કામ અને અર્થને તેમાં મુખ્ય સ્થાન છે. તથા ધર્મ અને મોક્ષને માત્ર મનરંજન માટેનું ગૌણસ્થાન છે. ભારતીય સંસ્કૃતિને પ્રાણ ધર્મ અને અધ્યાત્મ છે. જે આલૌકિક ને પારલૌકિક સુખશાતિના વિધાતા છે. ધર્મરહિત સંસ્કૃતિ કદી માનવસમાજની ઉન્નતિ અને સુરક્ષા કરી શકતી નથી. આજે માનવ પાશ્ચાત્ય સંસ્કૃતિની લેભામણી ઝાકઝમાળથી અકળાઈ ગયે છે. ભૌતિક વિજ્ઞાને ધરતી પર સ્વગ સજી દીધું છે. આજે શારીરિક સુખનાં અનેક સાધને વિખરાયેલાં પડયાં છે. દેવવિમાનની કલ્પના સાકાર કરનાર ગગનચુંબી દિવ્ય મહાલો; કાનમાં અમૃતવર્ષ કરતા રેડિયે તથા વાદ્યની સ્વર્ગીય સંગીતની લહરીઓ; શરીરને સ્પર્શ સુખ આપનાર રેશમ, મખમલ, નાયલોન વગેરે અનેક પ્રકારનાં વસ્ત્રાલંકાર, તથા ચિકિત્સાનાં નીતનવાં સાધનની ઉત્પત્તિ થઈ જ રહી છે. પરંતુ આટલાં સાધન હોવા છતાં પણ માનવ-સમાજ સંપૂર્ણ સુખી કે સુરક્ષિત નથી. આને અર્થ એ છે કે જીવનમાં માત્ર શરીર ને ઇદ્રિનાં સુખસાધન પૂરતાં નથી. સ્ટીમરથી વિશાળ સાગરની ખાઈઓ પાર કરીને અને વાયુયાનથી અનંત નીલ આકાશની અસમતાને છેડે લાવીને ચંદ્રક ઉપર વસવાના સ્વપ્નાં સફળ કરવાથી જ માનવ કૃતકૃત્ય ને પૂર્ણ સફળ નહીં થઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy