________________
૨૨૬
ધર્મ અને સંસ્કૃતિ દેહ જેવી નહીં બની જાય ? અરે સંસ્કૃતિની મહાન ને અમર દોલત તે માનવ જ છે. યુગયુગમાં ઉત્પન્ન થનારા મહાપુરુષોની જીવનનિધિઓથી સંચિત બનીને સંસ્કૃતિની તિજોરી વધારે સમૃદ્ધ બને છે. આ ચમકતા-દમકતા મહાપુરુષોના દિવ્ય વિચારોના પ્રકાશપુંજમાં અજ્ઞાન તથા હિંસા વગેરે દુષ્કૃત્યનાં ગાઢ અંધકારથી વ્યાપેલી માનવજાતિનું માર્ગદર્શન થાય છે.
ભારતીય સંસ્કૃતિ સર્વોત્કૃષ્ટ સંસ્કૃતિ છે. તેનામાં વિશ્વસંસ્કૃતિ બનવાની અજોડ ક્ષમતા છે. જો કે મૌલિક દષ્ટિથી સારી ચે માનવ સંસ્કૃતિ એક છે અને તેને એક જ ઉદ્દેશ છેઃ માનવ સમાજનું કલ્યાણ, ઉદય અને ઉત્કર્ષ. પ્રત્યેક માણસના જીવનને શિક્ષણ તથા શીલ દ્વારા વિકસિત કરીને સુંદર સંસ્કારોથી અભિભૂત કરીને સભ્ય બનાવવું પરંતુ જુદાજુદા સ્થળ ને કાળનાં માનવીઓના વિચાર અને દૃષ્ટિકોણની ભિન્નતાથી અનેક સંસકૃતિઓ બની છે. અને આ વિચારભેદથી તે સંસ્કૃતિઓમાં દિવસ-રાત અને આકાશ-પાતાળનું અંતર થઈ ગયું છે. જેવી રીતે પૂર્વની સંસ્કૃતિ, પશ્ચિમની સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, ઈસાઈ સંસ્કૃતિ, ઇસ્લામ સંસ્કૃતિ વગેરે. આજે અનેકાનેક સંસ્કૃતિઓ વિશ્વના ચોગાનમાં વિદ્યમાન છે. તેમનામાં આચાર-વિચારને કારણે ઘણે ભેદભાવ થઈ ગયો છે.
- ભારતીય સંસ્કૃતિ એક વિરાટ મહાસાગર છે જેના વિશાળ અન્તરમાં વિભિન્ન સંસકૃતિઓની સરિતાએ આવીને અભિન્ન સ્વરૂપથી મળી ગઈ છે. આ એક એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org