________________
૨૨૨
ધર્મ અને સંસ્કૃતિ સમાજમાં સંપત્તિશાળીનું પિસાદાર શ્રીમતેનું માન છે. પૈસા મનુષ્યનું ઉપજીવન છે. પણ તે જીવન નથી બની શકતું. તે સાધન ભલે હોય પણ સાધ્ય નથી બની શકતું. પૈસા હાથમાં રહે છે ત્યાં સુધી તે પાપ નથી પણ પૈસા
જ્યારે હૃદયમાં ધૂસી જાય છે ત્યારે તે પાપ બને છે. હાથમાં રહેલે પિસે સમાજ અને રાષ્ટ્રને માટે ઉપયોગી પણ થઈ શકે છે, પરંતુ દિલમાં ઘૂસી ગયેલો પૈસો દુઃખથી ટળવળતાં માણસ માટે ભૂલથી પણ કામમાં આવતું નથી, આવી શકતું નથી. પરંતુ આજ આપ સૌ પૈસાવાળાને જેટલાં આદરમાન આપે છે તેટલાં આદરમાન એક ત્યાગી, તપસ્વી કે વિદ્વાનને નથી આપતા. તે પછી સમાજમાં ત્યાગી અને સેવાશીલ યુવક પેદા થાય એવી આશા શી રીતે રાખી શકાય ?
બીજી બાજુ શ્રીમંતનાં દુષ્કૃત્યે પિસાથી ઢંકાઈ જાય છે. પૈસાથી પાપ ઢંકાય છે ધોવાતાં નથી. એક ધનિક ગૃહસ્થ એક પત્ની હોવા છતાં બીજું લગ્ન કર્યું. તેના જીવનથી જનતામાં ધણુ ફેલાઈ રહી હતી. તેણે કઈ સંસ્થાના ઉદ્દઘાટનમાં દસ હજાર રૂપિયાની થેલી ભેટ કરી અને તે સમારંભને પ્રમુખ બની બેઠે અને તે જ સમાચકે શેઠ સાહેબને સમાજના પ્રાણ તરીકે ઓળખાવતાં તેની પ્રશંસામાં દોઢ કલાક વીતાવી દીધું. અને દૈનિક પત્રોમાં ફોટા સાથે મેટાં મેટાં મથાળાં બાંધીને તેને પરિચય છાપી નાખવામાં આવ્યે. તે સમાજને લોકપ્રિય નેતા બની ગયે. પરંતુ તેની પ્રથમ પત્ની જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org