________________
ધર્મ અને વિજ્ઞાન સામાન્યતઃ એવું કહેવાય છે કે જે અધિક સુખ આપે તેને અમે ધર્મ માનીએ છીએ. સુખ પ્રતિ અરુચિ ઉત્પન્ન કરનારને અમે ધર્મ માનતા નથી પણ અધર્મ સમજીએ છીએ. અરુચિ ઉત્પન્ન કરનારને જીવનમાં કેવી રીતે સ્થાન આપી શકાય? તમે જે ધર્મની વાત કરે છે તેથી કંઈ સુખ મળતું નથી. તેનાથી ઊલટું વિજ્ઞાન દ્વારા સર્વ પ્રકારનાં સુખ સુલભ બને છે. વિજ્ઞાને માનવ સમાજને કેટલે સુખી કર્યો છે? ને જ્યાં પહોંચતાં મહિનાના મહિના વીતી જતા ત્યાં આજ તે વિજ્ઞાન દ્વારા થોડા જ કલાકમાં પહોંચી જવાય છે. અમેરિકામાં થતાં ગાનવાદન વિજ્ઞાનની મદદ વડે ઘેર બેઠાં સંભળાય છે. જે સુખસગવડની કલ્પના પણ ન હતી તે આજે વિજ્ઞાનને કારણે સહજ બન્યું છે. ગ્રામેફિન, રેડિયે, ટેલિગ્રાફ, ટેલિફેન વગેરે વૈજ્ઞાનિક આવિષ્કાર દ્વારા મનુષ્યને કેટલી સુવિધા પ્રાપ્ત થઈ છે? એ રીતે વિજ્ઞાને માનવ સમુદાયનાં કેટલાં દુઃખ દૂર કરી દીધાં છે ? જે વિજ્ઞાને આટલાં બધાં સુખસગવડ બક્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org