________________
૨૨૦
ધર્મ અને સંસ્કૃતિ યુવક આ બધું પિતાની આંખથી જેતે હોય છે કે ઉપાશ્રયમાં રંગ બીજે છે અને બજારમાં રંગ બી. તમારા જીવનનું આ બહુરૂપીપણું યુવકના મનમાં ધર્મ પર શ્રદ્ધા કેવી રીતે જામવા દેશે? દઢ થવા દેશે ?
બીજી બાજુ એક બુટ્ટી ડોશી સામાયિક કરે છે. પણ અડતાલીસ મિનિટની મસભાવની સાધનામાં તેનું મન નથી એટતું. તેની આંખો ચારે તરફ ફરી વળતી હોય છે. વહું શું કરી રહી હશે ? છોકરે શું કરી રહ્યો હશે ? સામાયિક પૂરી થતાં જ તેને પહેલો ઘા વહુ પર થાય છે. આ આમ કેમ કર્યું ને તેમ કર્યું? બાજુમાં જ ઊભેલે યુવક જુએ છે. તેના મનમાં થાય છે કે માજીએ એક કલાક સુધી સામાયિક દ્વારા ધર્મ સાધના કરી કે ફરિયાદોનું રજિસ્ટર તૈયાર કર્યું.
આ જ કારણ છે કે આજનો યુવક રૂઢ ધાર્મિક ક્રિયાઓથી શા માટે હટી રહ્યો છે, દૂર જઈ રહ્યો છે.
બીજી બાજુ આજના શિક્ષણમાં પણ કંઈક એવાં તવે છે કે જે યુવકને ધાર્મિકતાથી દૂર ધકેલે છે. આજના શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિની છાયા નથી. તે છાયા છે યુરોપની. તેમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ બલી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં કેળવણુ અથવા શિક્ષણનો પ્રારંભ ત્રણ વાક્યોથી થાય છે.
“માતૃવો મવા પિતૃદેવો ભવ! “કાવાવ મવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org