________________
૨૧૯
ધર્મ અને યુવક વગે પાંગરીને મોટા થાય છે. બાળક વિચારે છે કે આ કેઈ પકડવાવાળા છે, તેમની પાસે કદી નહિ જવું જોઈએ. પછી મા કહેશે જા વ્યાખ્યાન સાંભળી આવ, તે તે ગંજીપે રમવા જરૂર બેસશે. અને માતાએ પછી અમારી આગળ ફરિયાદ કરશે. પરંતુ માતાઓ ! આ સંસ્કાર તે તમે જ તેમનામાં રેડ્યા છે !
યુવકવર્ગમાં આજ પણ ધર્મના શુદ્ધ રૂપમાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે. અહિંસા, દયા, ક્ષમા વગેરે ગુણોને કઈ પણ યુવક ખરાબ કહેશે નહિ. હા, રૂઢ ક્રિયાકાંડ ઉપર અમુક પ્રકારનાં વિશેષ વિધિ-વિધાનો ઉપર તેમના મનમાં શ્રદ્ધા ઓછી છે. તેની પાછળ પણ એક હેતુ છે. આજને આપણો બુઝર્ગ વર્ગ, વૃદ્ધ અને પ્રૌઢ વર્ગ ઉપાશ્રયમાં ધર્મની માટી મેટી ને ઊંચી ઊંચી વાત કરે છે “મહારાજ સંસાર અસાર છે. બધે જુઠ્ઠો પથારે પાથર્યો છે. એક ન પેસે પણ સાથે આવશે નહિ વગેરે” તેઓ ધર્મની વાતે કરવામાં ગરુડની પેઠે ઊંચે ઊડે છે. એમ લાગે છે કે આજના યુવક જબુકુમાર અને શાલીભદ્ર જાણે એ જ છે. પરંતુ જેવા દુકાને પહોંચ્યા, રૂપાને ખણખણાટ થવા લાગ્યો કે વૈરાગ્યને બધે રંગ કેણ જાણે કયાં ઊડી જાય છે.
- પુદ્ગલેને જુઠ્ઠો ફેલાવ માનવાવાળા એક નવું પેસે છોડવા પણ તૈયાર હેતા નથી. તેને અર્થ એ થયે છે કે ધર્મ કેવળ ઉપાશ્રયમાં છે. બજારની હવાને ઝપાટે લાગતાં જ તે છૂમંતર થઈ જાય છે. આજને બુદ્ધિવાદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org