________________
ધર્મ અને યુવક વગ
૨૧૭ જીવન જીવવાની કલાનું નામ જ ધર્મ છે. જે વિચાર અને આચાર આત્માની ચારિત્ર્યશક્તિને વિકાસ કરે છે, જીવનમાં વિચાર અને સદાચારની મશાલ સળગાવે છે, તે જ ધર્મ છે. જેમના જીવનમાં વિચારના ધર્મની
ત ઝગમગાટ કરી રહી છે, ઝળહળી રહી છે તેમના જીવનમાં દુઃખે અને વિપત્તિએ એટલાં જ દૂર જાય છે, જેટલાં સિંહથી દૂર હરણે. જેમના ઘરમાં ધર્મને પ્રકાશ હોય તેને ત્યાં બિમારી અહો જમાવીને બેસી રહી શકતી નથી. તેમના ઘરમાં મૃત્યુ કદી કવખતે કટાણે નહિ આવી શકે.
અત્યાર સુધી હું ધર્મ પર બે છું. સારી પેઠે લાંબું બેલી ગો છું. હવે આપણે જરા યુવક વર્ગની સાથે વાત કરવાની છે. ધર્મતત્ત્વ જીવનને પ્રકાશ-સ્તમ્ભ છે. ધર્મ આત્માનું પિતાનું નિજ રૂપ છે. ભારતના બધા જ સંતે એ ઋષિ અને મહર્ષિઓએ ધર્મનો પ્રકાશ આપે છે. પછી એ જ માટીમાંથી પેદા થયેલા ભારતીય યુવક ધર્મથી કેમ પાછળ હટતો જાય છે ? આજ ઉપાશ્રયેામાં, મંદિરોમાં પ્રૌઢ અને વૃદ્ધ વર્ગ જ વધારે સંખ્યામાં નજર સામે દેખાય છે. પરંતુ કાળા વાળવાળા યુવકે બહુ ઓછા દેખાય છે. પિતા આવીને કહે છે: “મહારાજ છોકરાને
જ્યારે એમ કહીએ છીએ કે તું આ પાસરામાં જા. મહારાજનાં દર્શન કરી આવ માંગલિક સાંભળી આવ. સામાયિક કર. તો તે એને રુચતું નથી. આ બધું કરવાને બદલે તે ગંજીપે રમવા બેસે છે. આ બે વખત પત્તાં ફૂટશે પણ ધર્મસ્થાનકે નહિ જાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org